અમદાવાદ : ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલવામાં આવશે. આ માટે ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ ૨૫ હજાર જેટલી રાખડીઓ રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે વડાપ્રધાનને પત્ર પણ મોકલવામાં આવશે.
મહિલા મોરચાનાં પ્રમુખ ડો. દીપિકા સરવડાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીને ૨૫ હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે ૧ હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પર ઉત્સાહભેર ઊજવાય છે. આ દિવસે બહેનો પોતાનાં ભાઈને હાથ પર રાખડી બાંધીને તેમની સુરક્ષાનું વચન માગે છે. આ તહેવાર ભાઈ-બહેનનાં પવિત્ર બંધનનું પ્રતીક ગણાય છે. ત્યારે આ વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી મોકલવામાં આવશે. માહિતી મુજબ, ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી, 24 જિલ્લામાં છવાઈ જશે ધૂળની ચાદર
અમદાવાદ : હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમી અને...
Read more