ગુજરાત ભાજપ મહિલા મોરચા PM મોદીને ૨૫ હજાર રાખડી અને પત્રો મોકલશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલવામાં આવશે. આ માટે ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ ૨૫ હજાર જેટલી રાખડીઓ રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે વડાપ્રધાનને પત્ર પણ મોકલવામાં આવશે.
મહિલા મોરચાનાં પ્રમુખ ડો. દીપિકા સરવડાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીને ૨૫ હજાર જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે ૧ હજાર જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ પર ઉત્સાહભેર ઊજવાય છે. આ દિવસે બહેનો પોતાનાં ભાઈને હાથ પર રાખડી બાંધીને તેમની સુરક્ષાનું વચન માગે છે. આ તહેવાર ભાઈ-બહેનનાં પવિત્ર બંધનનું પ્રતીક ગણાય છે. ત્યારે આ વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ભાજપ મહિલા મોરચા દ્વારા રાખડી મોકલવામાં આવશે. માહિતી મુજબ, ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

Share This Article