નવીદિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પપત્ર તૈયાર કરી લીધા બાદ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. નાણામંત્રી અરુણ જેટલીએ આજે આ મુજબની માહિતી આપતા કહ્યું હતું કે, ભાજપે જે કામ કર્યું છે તેનો ઉલ્લેખ થીમ સોંગમાં કરવામાં આવ્યો છે. અમારા ઘોષણાપત્રમાં ઘણી બાબતોનો ઉલ્લેખ રહેશે. જેટલીએ કહ્યું હતું કે, ઘોષણાપત્રની પ્રથમ થીમ કામ કરનાર સરકાર રહેશે જ્યારે બીજી થીમ ઇમાનદાર સરકાર અને ત્રીજી થીમ મોટા નિર્ણય લેવા વાળી સરકાર રાખવામાં આવશે.
જેટલીએ ઉમેર્યું હતું કે, અમારી સરકારની મોટી સફળતા મધ્યમ વર્ગ માટે રહેલી છે. પાંચ વર્ષના ગાળામાં એક પણ વખત ટેક્સ લાગૂ કરવામાં આવ્યા નથી પરંતુ એક પાર્ટીના લોકો કહે છે કે, અમે જે લોકોની પાસે કેટલાક ખાસ પ્રકારની સંપત્તિ છે તેમના પર બે ટકાના ટેક્સ લાગૂ કર્યા છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપનો નારો ફીર એકબાર મોદી સરકારનો રહેશે.
અરુણ જેટલીના કહેવા મુજબ મોંઘવારી જે હંમેશા ૧૦ ટકાની આસપાસ રહેતી હતી તેને ૨-૩ ટકા વચ્ચે કાબૂ કરવામાં સફળતા મળી છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી તેના વચનો કદી પણ પાળ્યા નથી. અમારા ઘોષણાપત્રની પ્રથમ થીમ જ કામ કરનાર સરકાર રાખવામાં આવશે. બીજી બાજુ અરુણ જેટલી દ્વારા આજે ઘોષણાપત્રના સંદર્ભમાં કોઇ વધારે વાત કરવામાં આવી ન હતી. કોંગ્રેસની યોજનાઓ સામે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારના જવાબો આપે છે તેના ઉપર તમામની નજર રહેશે. અરુણ જેટલીના કહેવા મુજબ લોકલક્ષી સરકાર પહેલાથી જ ચાલી રહી છે ત્યારે તમામ કામોને ઝડપથી આગળ વધારવા ઉપર ભાર મુકાશે.