FPI દ્વારા ઓગસ્ટમાં જ કુલ ૬,૭૦૦ કરોડ ઠાલવી દેવાયા

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

મુંબઈ: વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૬૭૦૦ કરોડથી વધુ રકમ ઠાલવી દીધી છે. ઓગસ્ટ મહિનામાં એફપીઆઈ દ્વારા ૬૭૦૦ કરોડથી વધુની રકમ ઠાલવી દેવામાં આવી છે. માઇક્રો મોરચા પર સુધારો થયો છે. કોર્પોરેટ કમાણીના વધુ સારા આંકડા સપાટી ઉપર આવ્યા છે. મિડ અને સ્મોલકેપ ક્ષેત્રમાં કરેક્શનની સ્થિતિ જાવા મળી રહી છે. ઇકવીટી અને ડેબ્ટ બંનેમાં છેલ્લા મહિનામાં ૨૩૦૦ કઇકવીટી રોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચ્યા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી ઓગસ્ટથી લઇને ૨૪મી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં ઇકવીટીમાં ૨૦૪૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૪૬૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે.

આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૬૭૧૦ કરોડનો રહ્યો છે. એકંદરે આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇકવીટીમાંથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૩૭૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઈ ચુક્યો છે.

વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શÂક્તઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે. આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે.

તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્ય રીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે. રોકાણ કરતા પહેલા વૈશ્વિક ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લીધા છે. ઉભરતા માર્કેટમાં ભારતે અસ્થિરતા દર્શાવી છે. આઈએમએફની આગાહી મુજબ ભારતનું આર્થિક આઉટલુટ જારદારરીતે સુધરી રહ્યું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એફપીઆઈનું ધ્યાન હવે લાંબાગાળા ઉપર કેન્દ્રિત થયું છે. ઉભરતા માર્કેટમાં ભારતે અસ્થિરતા ના સંકેતો આપ્યા છે. રોકાણકારો આકર્ષિત થયા છે.

Share This Article