RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી

Rudra
By Rudra 1 Min Read

નવી દિલ્હી : રિઝર્વ બેંકના ઓફ ઈન્ડિયા ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. તેમને ડિસેમ્બર 2018માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થાય છે.

કેન્દ્ર સરકારમાં નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “કેબિનેટની નિમણૂક સમિતિએ શક્તિકાંત દાસ, (નિવૃત્ત) આઇએએસ (૧૯૮૦)ની વડા પ્રધાનના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે. તેમની નિમણૂક વડા પ્રધાનના આગળના આદેશ સુધી અથવા સહભાગી 10 વર્ષ સુધીની રહેશે.

Share This Article