અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ શાહપુર, દરિયાપુરમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં આગામી ૨૦ જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જગતના નાથની રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર, દરિયાપુરમાં ગઈકાલે ૨૮૦થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. સંવેદનશીલ સ્થળોએ ધાબા પોઈન્ટ રખાશે. તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થ્રીડી મેપની રથયાત્રા રૂટ પર વરિષ્ઠ અધિકારીઓ સતત દેખરેખ રાખશે. અમદાવાદ સેક્ટર ૧ના જેસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.

ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે દિવસ પહેલા ખલાસી બંધુઓ દ્વારા રથનું પ્રથમ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. ત્રણેય રથનું કામ પૂર્ણ થઇ જતા ખલાસીઓ દ્વારા ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. ભગવાનના રથ રસ્તા પર ફરવાના છે  ત્યારે કોઇ અડચણ ન આવે તે માટે આ રિહર્સલ કરાયું હતું.

Share This Article