વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પનીર ઉત્પાદકો પર તવાઇ યથાવત જોવા મળી છે. વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ફતેહગંજ, નિઝામપુરા, કલાલી, અટલાદરા, આજવા રોડ, મકરપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ૨ ફૂડ વેન્ડિંગ, ૨૯ રેસ્ટોરન્ટ, ૧૫ ડેરી યુનિટમાં તપાસ બાદ ૨૬ નમૂના લેવાયા હતા. ૧૬ ફૂડ વિક્રેતાઓને શિડ્યુલ ૪ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. લાઇસન્સ વગર ધમધમતી ૯ પેઢીઓને બંધ કરવામાં આવી છે. પનીર ઉત્પાદકો પર આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેશે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more