વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પનીર ઉત્પાદકો પર તવાઇ યથાવત જોવા મળી છે. વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ફતેહગંજ, નિઝામપુરા, કલાલી, અટલાદરા, આજવા રોડ, મકરપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ૨ ફૂડ વેન્ડિંગ, ૨૯ રેસ્ટોરન્ટ, ૧૫ ડેરી યુનિટમાં તપાસ બાદ ૨૬ નમૂના લેવાયા હતા. ૧૬ ફૂડ વિક્રેતાઓને શિડ્યુલ ૪ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. લાઇસન્સ વગર ધમધમતી ૯ પેઢીઓને બંધ કરવામાં આવી છે. પનીર ઉત્પાદકો પર આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેશે.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more