જાણો શું છે સુપ્રીમકોર્ટ નો ચુકાદો જેના કારણે થઇ રહ્યો છે વિવાદ !!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
 માનનીય સુપ્રીમ કોર્ટ ના આદેશ મુજબ અનુસૂચિતા જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરૂપયોગને રોકવો અનિવાર્ય છે. તેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકરારે આદેશો આપ્યા હતા
– કોઈ પણ આ બાબત ની અરજી પર સુનાવણી કરતાં SC/STમાં તાત્કાલિક ધરપકડ ન થવી જોઈએ .
– SC/ST એક્ટ અંતર્ગત દાખલ થનારા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી મળી શકે તેની જોગવાઈ કરવા માં આવે.
– સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે.ગોયલ અને યુ.યુ.લલિતની બેંચ દ્વારા જણાવવા માં આવ્યું હતું  કે આ કાયદા અંતર્ગત દાખલ મામલાઓમાં ધરપકડના બદલે પોલીસે વિભાગ દ્વારા સાત દિવસની તપાસ કરવી જોઈએ અને તે બાદ ધરપકડ કે અન્ય પગલાં લેવા જોઈએ.
– કોઈપણ સરકારી અધિકારીની ધરપકડ એપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વિના ન થઈ શકે. જ્યારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે SSPની મંજૂરી લેવી જરૂરી રહેશે.
ઉપરોક્ત ચુકાદા ના પરિણામ સ્વરૂપે ઠેર ઠેર તોફાની તત્વો તારકફ થી તોડફોડ અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા.
Share This Article