ડો.પ્રવીણ તોગડીયા મળી ગયા !!

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આજે સવારે જયારે ડો.પ્રવીણ તોગડીયા ના ગાયબ થવા ની વાત સામે આવી હતી ત્યારે વી.એચ.પી. એ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ ક્યાં છે તેની કોઈ ને જાણ નથી. પરંતુ હમણાં જ મળતા તાજા અહેવાલ મુંજબ તેઓ ચંદ્રમણિ હોસ્પિટલ માં મળી આવ્યા છે અને તેઓ સંપૂર્ણ સભાન અવસ્થા માં ના હોવા થી કોઈ વાર્તાલાપ થઇ શક્યો નથી.

તેઓ 62 વર્ષ ના છે અને હાલ માં શાહીબાગ માં સ્થિત ચંદ્રમણિ હોસ્પિટલ માં લો-બ્લડ શુગર ના કારણે દાખલ થયેલ છે. તેઓ 11 વાગ્યા થી લાપતા હતા તેવો દાવો ટીવી અને ન્યુઝ માં કરવા માં આવ્યો હતો. તેઓ થલતેજ સ્થિત નિવાસ્થાને થી પાલડી ખાતેની ઓફિસ જવા નીકળ્યા પછી થી કોઈ જ સંપર્ક માં ના હતા. આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો જયારે રાજસ્થાન પોલીસ કલામ 188 હેઠળ તેઓને શોધતી હતી.

Share This Article