પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા HMPV વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.