માર્ચ માસ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છેલ્લો માસ હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વધારો થયો છે. તેમજ દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતાં અરજદારોની સગવડતા જળવાઇ રહે તે સારૂ દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય વધારવાની આવશ્યકતા જણાય છે, જેથી ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો-૧૯૭૦ના નિયમ-૬ અન્વયે ૩૧/૦૩/૨૦૧૮ સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય હાલના સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ કલાકને બદલે સવારના ૧૦:૦૦થી શરૂ કરી સાંજના ૦૬:૧૦ કલાક સુધી કરવામાં આવે છે, એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા જણાવાયું છે.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય શાખા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે "રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ" અંતર્ગત જનજાગૃતિ અભિયાન હેઠળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય...
Read more