‘‘સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’’

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગાંધીનગર ખાતે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પછાત, વંચિત, શોષિત, પીડિત હરેક સમાજવર્ગોની આર્થિક-સામાજીક ઉન્નતિ માટે સરકારે બજેટમાં ૩૬૪૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના એ સરકારની નેમ છે એમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

આ સમારોહમાં ૯૩૯ લાભાર્થીઓને ૬ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યું હતું.  ધર્મ-જાતિ-કોમવાદથી દૂર રહી રાષ્ટ્રવાદ-સમાજદ ઉન્નતિના માર્ગે આ લોન સહાય યુવા વર્ગો માટે નવી દિશા આપનારી બનશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ જ વિકાસનો આધાર છે તેથી સૌ સમાજ વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારે સમરસ છાત્રાલયો, તાલુકે-તાલુકે વિજ્ઞાનપ્રવાહ સહિતની શાળાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સ્કોલરશીપ અને શિષ્યવૃતિ સહાય આપીને ‘ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ’નો ભાવ સેવ્યો છે. , આ સરકાર યુવાશકિતના કૌશલ્ય વિકાસથી-સ્કીલ ડેવલપમેન્ટથી રોજગાર અવસર આપવા પ્રતિબધ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના તહેત રૂ. ૧પ૦૦થી ૩૦૦૦ આપવા હેતુ રૂ. ર૭ર કરોડની ફાળવણીની ભુમિકા આપી હતી. આવા એક લાખ યુવાઓને સહાય અપાશે તેવી નેમ તેમણે દર્શાવી હતી.

Share This Article