કાશ્મીરમાં G-૨૦ સંમેલન વિરુદ્ધ તૈયાર કરવામાં આવ્યો દુષ્પ્રચાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કાશ્મીરમાં યોજાનારી G-૨૦ બેઠકને લઈને પાકિસ્તાનની પ્રચાર યોજના ચાલુ છે. જેનો એક માત્ર ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા દ્વારા G-૨૦ વિશે ખોટી વાતો ફેલાવવાનો છે, અને હવે ૈંજીૈં બાદ પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય તેમાં સક્રિય બન્યું છે. જે માહિતી ગુપ્તચર એજન્સીઓને મળી છે. તે મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ તેના સત્તાવાર આદેશો જારી કર્યા છે. આ ષડયંત્રમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વિદેશમાં દૂતાવાસ અને હાઈ કમિશનને પણ સામેલ કર્યા છે. ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વિશ્વભરના તેના દૂતાવાસોને ૮ પાનાનો પત્ર મોકલ્યો છે, જેમાં પાકિસ્તાનના આ પ્રચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં તમામ પાકિસ્તાની દૂતાવાસોને આ મહિને શ્રીનગરમાં યોજાનારી G-૨૦ બેઠકને તોડફોડ કરવા માટે સમગ્ર વિશ્વમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સિવાય પત્રમાં ભારત વિરુદ્ધ સમગ્ર વિશ્વમાં ફેલાવવામાં આવનાર જુઠ્ઠાણા વિશે પણ કહેવામાં આવ્યું છે. પત્રમાં પુલવામા હુમલા પર સત્યપાલ મલિકના નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત નથી. આ સાથે કાશ્મીરમાં નકલી ભારતીય સેના દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો પણ પત્રમાં સામેલ છે. આ સિવાય ખાલિસ્તાન અને નોર્થ ઈસ્ટમાં ઉગ્રવાદ જેવા મામલાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ માને છે કે, પાકિસ્તાન G૨૦ સામે બેવડી યુક્તિ રમી રહ્યું છે. પ્રથમ, આતંકવાદીઓને સક્રિય કરવા અને બીજું, આવા પ્રચારનું કાવતરું રચવું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું હતું કે આવતા અઠવાડિયે શ્રીનગરમાં યોજાનારી G-૨૦ બેઠક જમ્મુ અને કાશ્મીર માટે તેની સાચી ક્ષમતા દર્શાવવાની “મોટી તક” છે..

Share This Article