આડેધડ ફિલ્મ કરવા માટે ડાયના પેન્ટી ઇચ્છુક નથી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : ખુબસુરત સ્ટાર અભિનેત્રી ડાયના પેન્ટી આડેધડ ફિલ્મો કરવા માટે તૈયાર નથી. તેની પાસે હાલમાં ઓછી ફિલ્મો હોવા છતાં પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની હજુ સુધીની ફિલ્મોને લઇને સંતુષ્ટ છે. રોલ મેળવી લેવા માટે પણ તે વધારે પ્રયાસ કરતી નથી. તેનુ કહેવુ છે કે તેની પાસે ફિલ્મો આવે છે પરંતુ તેને ગમતી ભૂમિકાવાળી ફિલ્મો કરવા માટેની તેની ઇચ્છા છે. અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને ડાયના પેન્ટી બિલકુલ પરેશાન નથી. ડાયના બોલિવુડમાં છ વર્ષથી છે અને તે ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં બિલકુલ પરેશાન નથી.  ફિલ્મો પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો છે મોડેલમાંથી અભિનેત્રી બનેલી ડાયના પેન્ટીએ કહ્યુ છે કે તે બીજી અભિનેત્રી ઓ શુ કરી રહી છે તેને લઇને વધારે હેરાન રહેતી નથી. સાથે સાથે અન્ય અભિનેત્રીઓ દ્વારા જા સારી કામગીરી અદા કરવામાં આવે છે તો તેની તે પ્રશંસા પણ કરે છે. વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલી ફિલ્મ કોકટેલ મારફતે  ડાયના બોલિવુડમાં આવી હતી. ત્યારબાદ તે સતત સક્રિય દેખાઇ રહી છે. જા કે તેને અપેક્ષા કરતા વધારે સફળતા મળી નથી. તેની છેલ્લી ફિલ્મ લખનૌ સેન્ટ્રલ હતી. જે બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ૩૨ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે ફિલ્મની સફળતા તમામ પટકથા અને ગીતો પર આધારિત રહે છે. લખનૌ સેન્ટ્રલમાં તેની સાથે ફરહાન અખ્તર નજરે પડ્યો હતો.

ફિલ્મની પટકથા ખુબ શાનદાર હતી જા કે ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી.  તે નિર્માતા નિર્દેશક બનવા માટે કોઇ વિચારણા કરતી નથી.  હિન્દી ભાષાને લઇને પણ તેની સામે કેટલીક તકલીફ આવી રહી છે. જે તેના માટે પડકારરૂપ છે. ડાયનાએ મી ટુને લઇને લઇને ચાલી રહેલી ઝુંબેશ અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. બોલિવુડમાં અનેક અભિનેત્રીઓ હાલમાં મીટુના કારણે તેમને  થયેલા અનુભવને રજૂ કરી ચુકી છે. સાથે સાથે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. જેમાં તનુશ્રી દત્તાએ સૌથી પહેલા શરૂઆત કરી હતી.

તનુશ્રીએ નાના પાટેકર જેવા સ્ટાર સામે આક્ષેપ કર્યા બાદ અન્ય જુદા જુદા ક્ષેત્રોની મહિલાઓ તેમના અનુભવને લઇને સપાટી પર આવી હતી. તનુશ્રી ઉપરાંત બોલિવુડમાં પોતાના નિવેદનના કારણે જાણીતી રહેલી કંગના રાણાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જા કે આ મામલે ડાયનાએ હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી. તે વિવાદોથી દુર રહીને પોતાની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. સાથે સાથે કોઇ પણ બાંધછોડ પણ કરવા માટે ઇચ્છુક નથી. બોલિવુડમાં મોટા ભાગની અભિનેત્રી મીટુને લઇને વિવાદમાં પડવા માંગતી નથી પરંતુ કંગના સહિતની સાહસી અભિનેત્રી આને લઇને આગળ આવી છે. સાથે સાથે પોતાના કડવા અનુભવ તમામની વચ્ચે રજૂ કર્યા છે.

Share This Article