વિકરાળ ફેની અંતે ત્રાટક્યુ : પુરી સહિત બધા વિસ્તારમાં ભારે વર્ષા

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

પુરી-ભુવનેશ્વર : બંગાળના અખાતમાં સર્જાયેલા અને મોડેથી વિકરાળ બની ચુકેલા ફેની તોફાન આજે ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જોરદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યા છે. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ઓરિસ્સામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ છે. નુકસાનને ટાળવામાં તંત્રને મોટા ભાગે સફળતા મળી છે.

ફેની ત્રાટકે તે પહેલા – ૧૧ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. ખુબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચુકેલા ફેનીએ પુરીના ગોપાલપુર અને ચાંદબલીની નજીક એન્ટ્રી કરી હતી. આ ગાળા દરમિયાન ૧૬૦-૨૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા હતા. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે. ચક્રવાતી તોફાન ઓરિસ્સાના દરિયાકાઠે ત્રાટકી ગયુ છે. ઓરિસ્સના પુરી સહિતના વિસ્તારોમાં પ્રચંડ પવન સાથે વરસાદ થઇ રહ્યો છે. ફનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને ૫૨ શહેરો પ્રભાવિત થયા છે. આવી સ્થિતીમાં ૫૦૦૦ શેલ્ટર હોમ બનાવી દેવામાં આવ્યા છે. ઓરિસ્સાના પુરીમાં વાવાઝોડુ ત્રાટકી ગયા બાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પણ જોરદાર પવન ફુકાઇ રહ્યો છે. સ્થિત પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળી રહી છે.  બંગાળની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગના અને હાવડા, હુબલી, જરગ્રામ, કોલકાતા, શ્રીકાકુલુમ, વિજયાનગરમ, વિશાખાપટ્ટનમમાં પણ  અસર દેખાઇ રહી છે.

આંધ્રપ્રદેશમાં ફેનીની અસર શ્રીકાકાલુમ, વિજયાનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં જોવા મળી રહી છે.  ૧૧ લાખથી વધુ લોકોને ખસેડવામાં આવી ચુક્યા છે.ફની તોફાનને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે ૨૦૨ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ફની વાવાઝોડાની અસર પર ઉચ્ચ સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસર હેઠળ તમામ એરલાઈન્સોને પણ મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવી ચુક્યું છે. સંભવિત નુકસાનને ટાળવા માટે દરિયાકાંઠાના વિસ્તારમાંથી લાખો લોકોને બસ, બોટ અને ટ્રેન મારફતે ખસેડવામાં આવી ચુક્યા છે.  ફની ત્રાટકે તે પહેલાથી જ તેની અઇસર દેખાવવા લાગી ગઇ હતી. વરસાદની શરૂઆત તો ગઇકાલે જ થઇ ગઇ હતી. આંધ્ર અને ઓરિસ્સામાં વરસાદની શરૂઆત થઇ હતી.  ટ્રેનો માટે પણ કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

ઓરિસ્સાના દરિયાકાઠા પર ફોની ચક્રવાતનુ સંકટ તોળાઇ છેલ્લા કેટલાક દિવસથી તોળાઇ રહ્યુ હતુ.  આને લઇને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ હતુ. જેના ભાગરૂપે  રાજ્ય સરકારે દરિયાકાઠાના વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા  હતા. દરિયાકાઠાના વિસ્તાર અને નીચલા વિસ્તારમાં રહેતા ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા હતા. સાવચેતીના પગલારૂપે પ્રદેશ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ૧૫ મે સુધી રજા  રદ કરવામાં આવી  હતી.  જે રજા પર હતા તેમને બુધવાર સુધી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરવામાં આવી હતી.  ચક્રવાતને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે એડવાન્સમાં ચાર રાજ્યો માટે ૧૦૮૬ કરોડની રકમ જાહેર કરી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિળનાડુ અને બંગાળ પર ખતરો તોળાઈ રહ્યો છે. તોફાનથી બચવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ફનીના ભારતીય પૂર્વીય દરિયાકાંઠા તરફ વધવાને લઇને નૌસેના અને દરિયાકાંઠાના રક્ષકોના જહાજ અને હેલિકોપ્ટરોને તૈનાત કરાયા છે. ૧૯૯૯માં સુપર સાયક્લોન બાદથી આને સૌથી વિનાશકારી ચક્રવાત તરીકે ગણવામાં આવે છે તે વખતે ઓરિસ્સામાં ભારે વિનાશ થયો હતો અને ૧૦૦૦૦ લોકોના મોત થયા  હતા.આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની ૪૧, ઓરિસ્સામાં ૨૮ અને બંગાળમાં પાંચ ટીમો ગોઠવાઈ ગઇ હતી.

Share This Article