પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરનાર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાન મુનીર અહમદ પર મોટી કાર્યવાહી થઈ છે. સીઆરપીએફના મુનીર અહમદને બર્ખાસ્ત કરી દીધો છે અને તેની સેવાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુનીર અહમદ સીઆરપીએફની 41મી બટાલિયનમાં તહેનાત હતો. સીઆરપીએફ એ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવા અને વીજાની માન્યતા ખતમ કર્યા બાદ ભારતમાં શરણ આપવાના મામલે સુરક્ષા માપદંડોનું ગંભીર ઉલ્લંઘન માન્યું છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે દેશમાં રહેનાર પાકિસ્તાની નાગરિકોના વીજા રદ્દ કરી દીધા અને તેને પરત જવાનો આદેશ આપ્યો. આ સમય સીમા હવે પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન સામે આવ્યું કે, સીઆરપીએફના જવાન મુનીર અહમદે પાકિસ્તાની છોકરી મેનલ ખાન સાથે લગ્ન કર્યા હતા. મામલો સામે આવ્યાં બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. હવે સવાલ છે કે, શું સેનાના જવાનોને પાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરવાની મંજૂરી છે? આ મામલે શું નિયમ છે, આવો જાણીએ.
મનીર અહેમદના કેસમાં શું થયું?
CRPFના જવાન મુનીર અહમદે ગત વર્ષ 2024માં પાકિસ્તાન નિવાસી મેનલ ખાન સાથે વીડિયો કોલ દ્વારા નિકાહ કર્યા હતા. ત્યાર બાદ મેનલ ખાન શોર્ટમ ટર્મ વિઝા પર ભારત આવી હતી. જે 22 માર્ચે પૂરો થઈ ગયો હતો. મેનલ ખાન ત્યાર બાદ પણ ભારતમાં રહેતી હતી. સામે આવ્યું છે કે, સીઆરપીએફના જવાન મુનીર અહમદે આ બંને વાતો વિભાગથી છુપાવી હતી. ત્યાર બાદ તેના પર એક્શન લેવામાં આવ્યાં. સીઆરપીએફનું કહેવું છે કે, મુનીર અહમદે પાકિસ્તાની છોકરી સાતે લગ્ન કરવા માટે વિભાગ પાસેથી મંજૂરી લીધી નહોતી અને વીજા પૂરા થયા બાદ પણ પત્ની મીનલ ખાનને ભારતમાં રાખવાની વાત છુપાવી હતી.
સેનાના જવાનો માટે શું નિયમ છે?
એવું નથી કે, સેનાના જવાન પાકિસ્તાની કોઈ છોકરી સાથે લગ્ન નથી કરી શકતા. ભારતીય કાયદા અનુસાર, દરેક નાગરિકને પોતાની મરજીથી લગ્ન કરવાની છૂટ છે. જ્યાં સુધી સેના અને પેરા મિલિટ્રી ફોર્સનો મામલો છે તો રાષ્ટ્રીય સુરક્ષાને જોતા આ મામલો ગંભીર હોય છે. એવામાં નિયમ છે કે, સેનાના જવાનોને પાકિસ્તાની છોકરી સાથે લગ્ન કરતા પહેલા વિભાગ અને ભારત સરકારને જાણકારી આપવાની હોય છે. વિભાગ તરફતી આ મામલે સંપૂર્ણ તપાસ બાદ જ લગ્ન માટે એનઓસી આપવામાં આવે છે. જો મંજૂરી ન મળે તો સેનાના જવાન લગ્ન કરી શકે નહીં. લગ્ન બાદ પાકિસ્તાની કે વિદેશી છોકરી જ્યાંની છે ત્યાની નાગરિકતા છોડીને ભારતની નાગરિકતા લેવી પડે છે.