નવીદિલ્હી : આમ આદમી પાર્ટીએ આજે દાવો કર્યો હતો કે, પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર ગૌત્તમ ગંભીરના નામે બે વખત નોંધણી થયેલી છે. બે વોટર આઈડી રાખવાનો તેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ગૌત્તમ ગંભીરની સામે આ મામલામાં તીસહજારી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં મામલાની સુનાવણીની તારીખ પહેલી મે રાખવામાં આવી છે. પૂર્વીય દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ કહ્યું છે કે, આ અપરાધિક મામલો છે. ગંભીરને તાત્કાલિક ધોરણે અયોગ્ય જાહેર કરવામાં આવે તે જરૂરી છે. ગંભીરની સામે તીસહજારી કોર્ટમાં અપરાધિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બે વોટર આઈડી કાર્ડ રાખવાનો તેમના ઉપર આક્ષેપ કરાયો છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more