જયપુર : એકબાજુ હરિયાણાના જિંદમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઇ હતી જ્યારે બીજી બાજુ રાજસ્થાનના રામગઢમાં કોંગ્રેસ પાર્ટીની પેટાચૂંટણીમાં આજે જીત થઇ હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીની વિધાનસભા સીટોની સંખ્યા વધીને ૧૦૦ ઉપર પહોંચી ગઈ છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૯૯ સીટો મળી હતી. રાજસ્થાનના રામગઢમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબેર ખાનની ૧૨૨૨૮ મતે જીત થઇ હતી. લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસની આ જીત તેના કાર્યકરોમાં વધારે ઉત્સાહ વધારશે. વિધાનસભા ચૂંટણીના થોડાક દિવસ પહેલા જ રામગઢ વિધાનસભા ક્ષેત્રના બસપ ઉમેદવાર લક્ષ્મણસિંહનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણી પહેલાની છેલ્લી ચૂંટણી હતી જેથી પ્રતિષ્ઠત બની હતી.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more