અમદાવાદ : શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ભાજપના ચાર ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યાં છે ત્યારે આ સાથે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે ૧૦૫ થયું છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીની ૨૬ બેઠકો માટે અને વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં લોકસભા તથા વિધાનસભાની તમામ બેઠકો પર રાજ્યના નાગરિકોએ ભૂતકાળમાં જે મત આપ્યા હતા, તેના કરતાં વધુ મત આપીને અમારી ઝોળી ભરી દીધી છે. ચૂંટણીના પરિણામો સાબિત કરી દીધું છે કે, પ્રજાને અમારા પર અમાપ વિશ્વાસ છે અને એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા દઈશું નહીં.
MoRD દ્વારા DDU-GKY અને RSETI ગુજરાતની સમીક્ષા મુલાકાત: ગ્રામીણ યુવાનોના કૌશલ્ય વિકાસને મજબૂતી
24 અને 25 એપ્રિલ 2025 ના રોજ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) ની એક સમીક્ષા ટીમે રાજ્યમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય...
Read more