મિર્ચીના લોન્ચિંગ પર સીએમ રૂપાણીએ તેમના સૌપ્રથમ ડીએમ ભરૂચ મોકલ્યા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ભરૂચઃ ભારતના નંબર. 1 રેડિયો સ્ટેશન, રેડિયો મિર્ચીએ આજે ભરૂચમાં પ્રથમ નવા સ્ટેશન સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું છે. ભરૂચ સ્ટેશનનું ઉદઘાટન બીજા કોઈ નહીં પરંતુ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું.

આ સ્ટેશન પર તેઓ સૌપ્રથમ મહેમાન પણ હતા અને ભરૂચમાં મિર્ચી 92.3 પર ભરૂચના લોકોને પ્રથમ સેગ્મેન્ટમાં એક ડાયરેક્ટ મેસેજ (ડીએમ) મોકલવામાં આવ્યો હતો, જે માનનીય મુખ્યમંત્રીનો પોતાનો હતો!

મિર્ચી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ (મિર્ચી લવ સહિત)માં છ લોકપ્રિય સ્ટેશન્સ ધરાવે છે. તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે મિર્ચી ભરૂચ, જૂનાગઢ, જામનગર, પાલનપુર, મહેસાણા અને ભાવનગર એમ છ નવા શહેરોમાં પ્રવેશ કરી રહી છે. હવે સમગ્ર રાજ્યમાં વધુ ને વધુ લોકો આરજે ધ્વનિત, આરજે કુણાલ, આરજે વશિષ્ટ અને આરજે સાયેમા તથા આરજે રોચી જેવા તેમના પસંદગીના આરજેસને ટ્યુન ઈન કરી શકશે અને સાંભળી શકશે.

મિર્ચી સેલેબ ચેટ્સ, કોમેડી અને ઈન્ફોટેઈનમેન્ટ સહિત ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા કન્ટેન્ટ સાથે બોલિવૂડનું શ્રેષ્ઠ મ્યુઝિક વગાડવાનું વચન આપે છે અને બ્રાન્ડ તેના આ કન્ટેન્ટ માટે પ્રખ્યાત છે. આજના યુવાનો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા મારફત શ્રોતાઓને બ્રાન્ડ સાથે સાંકળવામાં આવશે.

આ પ્રસંગે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘રેડિયો મિર્ચીએ ગુજરાતમાં અનેક નવા સ્થળો પર સ્ટેશન્સ શરૂ કર્યા છે તેનો મને ખૂબ જ આનંદ છે. હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને મને ખાતરી છે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની જેમ આ બધા શહેરોમાં પણ તે ટૂંક સમયમાં જ સામાજિક અને સાંસ્કૃતિક ભાગ બની જશે.’

રેડિયો મિર્ચી ગુજરાતના ક્લસ્ટર હેડ બિથિન્દ્ર બિસ્વાસે જણાવ્યું હતું કે, ‘નવા શહેરોમાં વિસ્તરણ કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. ભરૂચ અને આગામી વધુ પાંચ સ્થળો પર લોન્ચિંગ સાથે અમે રાજ્યના 10 શહેરોમાં હાજરી ધરાવીશું. અમે હંમેશા જ્યાં પણ જઈએ ત્યાં દરેક જગ્યાએ શ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરું પાડવા આતુર રહીએ છીએ અને આ નવા શહેરોમાં પણ અમારી આ જ યોજના છે. અમને આશા છે કે અમે જે પણ કંઈ ઓન-એર કરીશું શ્રોતાઓ તેનો આનંદ માણશે.’

ગુજરાતને ખુશ રાખતા દેશના અગ્રણી રેડિયો સ્ટેશનના પીઠબળ સાથે નવા અને ડાયનેમિક એફએમ સ્ટેશન તરફ નજર છે.

Share This Article