૨૦૨૩ની જેમ નવું વર્ષ ૨૦૨૪ પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ઘણી ભેટ લઈને આવનાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DA)માં ૪ ટકાનો વધારો થઈ શકે છે, જેના કારણે પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થઈ શકે છે. શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા અંદાજ મુજબ, DR ડેટા જુલાઈથી ઓક્ટોબર સુધીના સમયગાળા માટે જાહેર કરવામાં આવ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરના ડેટા આવવાના બાકી છે, ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે નવા વર્ષમાં કેટલો ડીએ વધશે. માનવામાં આવે છે કે સરકાર બજેટમાં ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને ૪૬ ટકા ડીએનો લાભ મળે છે. તેનો અમલ જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૩ સુધી કરવામાં આવ્યો છે. ડીએમાં આગામી વધારો જાન્યુઆરી ૨૦૨૪માં થશે, જેની જાહેરાત હોળીની આસપાસ થવાની ધારણા છે. AICPI ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓ-પેન્શનરોના DA અને DR દરોમાં સુધારો કરવામાં આવે છે. જાન્યુઆરી અને જુલાઈ સહિત ૨૦૨૩માં કુલ ૮% DAમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે આગામી DAમાં જુલાઈથી ડિસેમ્બર ૨૦૨૩ સુધીના AICPI ઈન્ડેક્સ ડેટાના આધારે વર્ષ ૨૦૨૪માં સુધારો કરવામાં આવશે.. વાસ્તવમાં, ૩૦ નવેમ્બરના રોજ, શ્રમ મંત્રાલયે AICPI ઇન્ડેક્સના ઓક્ટોબરના આંકડા બહાર પાડ્યા છે, જેમાં ૦.૯ પોઇન્ટના વધારા પછી, સંખ્યા ૧૩૮.૪ પર પહોંચી ગઈ છે અને ડ્ઢછ સ્કોર ૪૯% ની નજીક પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે નવા વર્ષમાં DAમાં ૪ ટકા અથવા ૫ ટકાનો વધારો થઈ શકે છે. જાેકે, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ આવવાના બાકી છે, ત્યારપછી નક્કી થશે કે ૨૦૨૪માં ડ્ઢછમાં કેટલો વધારો થશે? જાે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા પછી ડ્ઢછ સ્કોર ૫૦ ટકા કે તેથી વધુ થઈ જાય છે, તો ૪ ટકાના વધારા પછી DA ૫૦ ટકા થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ૭મા પગાર પંચ હેઠળ, જ્યારે DA ૫૦ ટકા સુધી પહોંચે છે, ત્યારે DAને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. પછી ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે. ડીએના આગામી દર બજેટ સમયે અથવા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે, કારણ કે લોકસભા ચૂંટણીની તારીખો આવતા વર્ષે એપ્રિલથી મે વચ્ચે જાહેર થવાની ધારણા છે, જે દરમિયાન આચારસંહિતા પણ આવશે. અમલમાં આ પછી કેન્દ્ર સરકાર ડીએમાં વધારો કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને આકર્ષવા માટે મોદી સરકાર બજેટ સત્ર દરમિયાન જ ડીએ પર ર્નિણય લઈ શકે છે. જાે ડીએમાં ૪% વધુ વધારો કરવામાં આવે તો તે ૫૦% થઈ જશે, તેનો લાભ ૪૮ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૮ લાખ પેન્શનરોને મળશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more