અમદાવાદ સ્થિત અગ્રણી ટેક્નોલોજી કંપની અડાઈન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે તેમની નવીનતમ ફેન્ટસી સ્પોર્ટ્સ મોબાઇલ એપ્લિકેશન YU11 લૉન્ચ કરવાની જાહેરાત કરવા…
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે. 22મી જુલાઈ 2023 થી 08મી ઓગસ્ટ 2023 સુધી, મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર તેમના જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. યાત્રા દરમિયાન યાત્રા 3 પવિત્ર ધામો અને તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લેવાનો લહાવો પણ મળશે. 8 રાજ્યોમાં લગભગ 12,000 કિલોમીટર નો સફર કરીને આ ગહન યાત્રા, સનાતન ધર્મની મૂળભૂત સત્વતા, ભગવાન રામના નામની મહિમા અને ભારતને એક કરતી અને તેની પરંપરાઓને મજબૂત બનાવશે. પ્રથમ કથા 22 જુલાઈના રોજ પવિત્ર કેદારનાથમાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ યોજાશે. જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેન યાત્રા 23મી જુલાઈ 2023ના રોજ ઋષિકેશથી શરૂ થશે. મોરારી બાપુ 60 વર્ષોથી વધુ સમયથી રામ કથા સંભળાવી રહ્યા છે. આ એક અભૂતપૂર્વ આધ્યાત્મિક યાત્રા માં તેઓ 18 દિવસ સુધી અવિરતપણે ભગવાન રામના ઉપદેશો નો ફેલાવો કરશે. આ યાત્રા 08મી ઓગસ્ટ 2023ના રોજ બાપુના ગામ, તલગાજરડા, ગુજરાતમાં સમાપ્ત થશે. રામકથાના સરળ ક્ષેત્રમાં, પૂજ્ય મોરારી બાપુના પ્રવચનો રામચરિત માનસના ઉપદેશોમાં ઊંડે ઊંડે વણાયેલા છે. આ અસાધારણ યાત્રાને સુવિધાજનક બનાવવા માટે, કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાસ તૈયાર કરાયેલી ટ્રેનોમાં કુલ 1008 શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. ટ્રેનના કોચના બહારના ભાગ 12 જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યો થી શણગારેલા છે. રામચરિત માનસ માત્ર ભગવાન રામની બાહ્ય યાત્રાનું જ વર્ણન કરતું નથી, પણ આત્માની આંતરિક યાત્રાનું પણ વર્ણન કરે છે. તમામ દિવસો પર રામ કથા બધા માટે ખુલ્લી રહેશે, જેથી વ્યક્તિઓ યાત્રામાં કોઈપણ સ્થાનથી સીધા જ જોડાઈ શકે. આ સમાવેશી અભિગમ એકતાની ભાવનાને મજબૂત કરવાની અને જીવનના અલગ અલગ ક્ષેત્રના લોકોને આ આધ્યાત્મિક પરિવર્તનશીલ અનુભવમાં ભાગ લેવાની તક આપે છે. આયોજક દ્વારા તમામ ભક્તોને પ્રસાદ તરીકે ત્રણ સમયનું ભોજન પણ આપવામાં આવશે. શ્રાવણના શુભ મહિનામાં, તમામ જ્યોતિર્લિંગોની યાત્રા એ તમામ ઉપસ્થિતો માટે એક નોંધપાત્ર સિદ્ધિ હશે, જે યાત્રાના આધ્યાત્મિક મહત્વને વધારે છે. મોરારી બાપુએ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા વિષે વાત કરતા જણાવ્યું હતું કે, "આ પવિત્ર યાત્રા દ્વારા, અમારું લક્ષ્ય ભારતની વિવિધતામાં એકતા દર્શાવા અને સનાતન ધર્મની સમજને પ્રોત્સાહન આપવાનું છે. ભગવાન રામનું નામ આપણા રાષ્ટ્રના દરેક ખૂણે ગુંજતું કરીએ, અને બધા માટે શાંતિ અને સંવાદિતા ના પ્રયત્ન કરીયે.” આ કાર્યક્રમનું આયોજન ઇન્દોરના વેપારી અને મોરારી બાપુના સમર્પિત અનુયાયી શ્રી રૂપેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ આ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાને સફળ બનાવવા માટે IRCTC સાથે મળીને અથાક મહેનત કરી રહ્યા છે. રામ કથા બહુવિધ પવિત્ર સ્થળોએ યોજવામાં આવશે જ્યારે જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ માત્ર મુલાકાત અને દર્શન માટે હશે. યાત્રા ની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે: • જુલાઈ 22, 2023, કેદારનાથ, ઉત્તરાખંડ • જુલાઈ 24, 2023, વિશ્વનાથ જ્યોતિર્લીંગ, ઉત્તરપ્રદેશ • જુલાઈ 25, 2023, બૈદ્યનાથ જ્યોતિર્લીંગ, ઝારખંડ • જુલાઈ 26, 2023, જગન્નાથ પુરી, ઓડિશા • જુલાઈ 27, 2023, મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ, આંધ્રપ્રદેશ…
વેદાન્ત દર્શન – આર્ષેય ભાષ્યમ્ બુક સદગુરુ ૐઋષિ સ્વામી દ્વારા લખવામાં આવી છે.આ પવિત્રગ્રંથમાં બ્રહ્મસૂત્ર અને વેદાંતના 200થી વધુ શ્લોકો…
તાજેતરમાં ઈવેન્ટ મેનેજમેન્ટ વેલફેર ફેડરેશન (EMF)એ તેના 10 વર્ષની ઉજવણી ઇવેન્ટ વિયેતનામના વિનપલ રિસોર્ટ ખાતે સેલિબ્રિટી અને બિઝનેસ સેશન અને 500+ ડેલિગેટ્સની ભાગીદારી સાથે કર્યો હતો. EMF ગ્લોબલના ફાઉન્ડર શ્રી જયદીપ મહેતા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઠાકર્સ ફાર્મને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ અંગે વાત કરતા ઠાકર્સ ફાર્મના ઓનર્સએ જણાવ્યું હતું કે, "સરગાસણ ગાંધીનગરમાં સ્થિત ઠાકર્સ ફાર્મને વિયેતનામ ખાતે EMF ગ્લોબલ - બેસ્ટ આઇકોનિક વેન્યુ, બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ વેડિંગ એવરના ત્રણ અલગ-અલગ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જ્યાં જૂના વૃક્ષો અને લીલાછમ લૉન સાથે વિકસિત કુદરતી વાતાવરણ જેવા આઉટફીટમાં 800 કરતાં વધુ કાર પાર્કિંગ સાથે લગ્ન, સેલિબ્રસન, કોર્પોરેટ પ્રોગ્રામો, સોશિયલ ઇવેન્ટ્સ અને અન્ય અનેક એક્ઝિબિશનનો માટે આદર્શ વેન્યુ માનાય છે” ફાર્મહાઉસ ડેસ્ટિનેશન વેડિંગ્સ ગુજરાતમાં પર્યટનની તકોને કેવી રીતે વધારશે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મહાઉસ વેડિંગ આ બંને વિકલ્પોનું ત્રીજું અને યુનિક સંયોજન લાવે છે જ્યાં એક તરફ લોકોએ ડેસ્ટિનેશન વેડિંગ જેટલો ખર્ચ કરવો પડતો નથી પરંતુ તેનો અહેસાસ કરાવે છે અને અન્ય રૂટિન પાર્ટી પ્લોટ કલ્ચરથી અલગ છે જે લાંબા સમયથી ફેશનમાં છે અને લોકો હવે કંઈક અલગ કરવા માંગે છે કારણ કે કપલ્સ હવે તેમના લગ્ન સાથે વધુ ક્રેએટિવ બની રહ્યા છે.
પંચાલ યુવા સંગઠન,ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે ગુજરાતના ૨૨ થી વધુ જિલ્લાઓમાં ૮૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ…
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર…
Sign in to your account