સ્વાસ્થ્ય

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

સ્ત્રીઓના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમાં ખાસ કરીને માસિક સંબંધી વિકાર એક નોંધપાત્ર હોવા છતાં વારંવાર અવગણવામાં આવતી ચિંતા છે.…

અમદાવાદ શહેરમાં સૌપ્રથમ ડૉ. પોપીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ડેન્ટલ એન્ડ એસ્થેટિક કોસ્મેટોલોજી ઇન્સ્ટિટ્યૂટનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ : તાજેતરમાં શહેરના જાણીતા તબીબ ડૉ. વિવેક મહેતા જે અદૃશ્ય એલાઈનર્સ, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ, બોટોક્સ અને ફિલર્સમાં વિશેષતા ધરાવતા ડાયનેમિક…

રાજકોટની Wockhardt Hospital  ખાતે  અત્યાધુનિક  MRI અને 7મા મોડ્યુલર ઓપરેશન  થિયેટરનું ઉદ્ઘાટન

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના સફળ લૉન્ચિંગ પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ તેની અત્યાધુનિક એમઆરઆઈ  ફેસિલિટી અને ૭ મુ મોડ્યુલર ઓપરેશન થિએટર (ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સક્ષમ) ના ભવ્ય ઉદઘાટન કરવામાં ખુબ જ ગર્વ  અનુભવે છે.આ નોંધપાત્ર માઈલસ્ટોન રાજકોટના હૃદયમાં એડવાન્સ હેલ્થકેર સર્વિસીસના નવા યુગની નિશાની છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ અપ્રતિમ હેલ્થકેર સર્વિસીસ પહોંચાડવા અને પેશન્ટ કેરને અભૂતપૂર્વ સ્તર સુધી પહોંચાડવા માટે તેની  પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. અદ્યતન MRI(મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ક્ષમતાઓ સાથે, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેમના દર્દીઓ માટે ચોક્કસ નિદાન અને વ્યક્તિગત સારવાર યોજનાઓ પ્રદાન કરીને, નિદાનની ચોકસાઇમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ઇન્સ્ટોલ કરેલ નવા એમઆરઆઈની મુખ્ય વિશેષતા તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત સ્માર્ટ પોસ્ટ-પ્રોસેસિંગ  ક્ષમતા છે,  જે ચોકસાઈ  સાથે સમાધાન કર્યા વિના ઝડપી પરિણામોની ખાતરી આપે છે. એમઆરઆઈ મશીનની કેટલીક વિશિષ્ટતાઓ: 1. આખા શરીરના MRI 45  મિનિટની અંદર પ્રાપ્ત કરી શકાય છે,  તે પ્રિવેન્ટિવ મેડિકેશન અથવા  ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ  માટે  પ્રોએક્ટિવ  મેઝર તરીકે સેવા આપે છે. 2. ટ્યુમર સ્ક્રીનીંગ માટે PET-CT જેવી જ ઈમેજીસ ઓફર કરે છે. 3. લીવર ફેટ ક્વોન્ટિફિકેશન સ્ક્રીનીંગને સક્ષમ કરે છે 4. મગજ, કરોડરજ્જુ,શરીર,એન્જીયો, મસ્કયુલોસ્કેલીટલ (સ્નાયુ તથા હાડકાં) અને સ્તન માટે AI આધારિત  એપ્લિકેશન 5. હૃદયનું એમઆરઆઈ…

Apollo Cancer Centreએ રેક્ટલ કેન્સરના સંચાલન માટે ભારતના પ્રથમ સંકલિત અંગ અને રોગ-વિશિષ્ટ કાર્યક્રમનું અનાવરણ

રેક્ટલ કેન્સર માટે દેશના એકમાત્ર ચતુર્થાંશ સંભાળ કેન્દ્ર તરીકે રેક્ટલ કેન્સર મેનેજમેન્ટ માટે સ્ટેજ સેટ કરે છે ચેન્નાઈ:એપોલો પ્રોટોન કેન્સર…

હાઈ પલ્સ રેટ અને ઓછું Spo2ની ફરિયાદ સાથે દાખલ થયેલ દર્દીના જમણા થાપાના ગોળાનું સફળ ઓપરેશન

રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 76 વર્ષીય દર્દીને જમણા પગમાં દુખાવો, ચાલી શકવાની અસમર્થતા,હાઈ પલ્સ રેટ (હાર્ટ રેટ ૧૦૦ થી વધુ) તથા Spo2(ઓક્સિજન સેચ્યુરેશન ૭૦ થી ૮૦ની વચ્ચે)ની ફરિયાદ સાથે ઇમરજન્સી માં દાખલ કરવામાં આવ્યા. તેમને 2 દિવસથી જમણા પગના થાપાના ગોળાના સાંધાનો દુખાવો થતો હતો કે જેને રાઈટ હિપ જોઈન્ટ પેઈન કહેવાય છે. અગાઉ દર્દીએ જૂનાગઢમાં પ્રાથમિક સારવાર લીધી પરંતુ તેમને દર્દીની પરિસ્થિતિમાં ગંભીરતા જણાતાં દર્દીના પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે લઈને આવ્યાં હતા. તેમને સિનિયર ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. ઉમંગ શિહોરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. એક્સરે કરાવતાં માલૂમ  થયું કે દર્દીને જમણા થાપાના ગોળાનું ફ્રેકચર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડૉ. ઉમંગ શિહોરા પાસે કોમ્પ્લિકેટેડ કેસીસ (HighSkill) ને હેન્ડલ કરવાની એક બેજોડ આવડત છે, જેનો લાભ સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને અવિરત રીતે  છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી મળી રહ્યો છે.ડૉ. ઉમંગ શિહોરા, સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એ જણાવ્યું હતું કે,"દર્દીને ઇમર્જન્સીમાં દાખલ કરાયા બાદ તેમના 2D ઇકો (હ્રદય ની તપાસ) તથા સીટી એન્જીઓ ચેસ્ટ(ફેફસાની મુખ્ય નળીઓ નો અત્યાધુનિક રીપોર્ટ) કરતા જણાયું કે દર્દીના Low Spo2 (૭૦-૮૦%) રહેવાનું કારણ પીએએચ (pulmonary Arterieal Hypertension)  છે. દર્દીને દાખલ કરતા સમયે 5 લીટર મિનિટથી ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થઈ હતી.  દર્દીના બાકીના તમામ રીપોર્ટ તથા ઑપરેશનની તૈયારી કરીને તેમને બીજા દિવસે  સવારે ૯ વાગ્યે ઓક્સિજનના સપોર્ટ  સાથે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા જ્યાં અમે કુશળ એનેસ્થેસિયાના સથવારે દર્દીના જમણા થાપાના ગોળાનું ઓપરેશન માત્ર 60 મિનિટમાં જ પૂર્ણ કર્યું અને સાંજ પડતાં જ દર્દી માત્ર ૬ કલાકની અંદરજ વોકરના સહારે ચાલતાં પણ થઇ ગયા"એક અઠવાડિયા દરમિયાનમાં જ દર્દીને જોતા ખૂબ જ સંતોષ થાય તેવું આશ્ચર્યજનક પણ છતાંય વૈજ્ઞાનિક પરિણામ  દેખાય છે. દર્દી તથા તેમના પરિવારજનો તરફથી ડૉ. ઉમંગ શિહોરા નો દિલ થી ખૂબ ખૂબ આભાર મનાઈ રહ્યો છે. ડૉ. ઉમંગ શિહોરાએ લગભગ આશરે 3000 જેટલી ફ્રેકચર સર્જરી,2500થી વધારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી (TKR) તથા 1200થી વધારે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THR) સર્જરી સફળતાપૂર્વક  કરેલી છે.થાપાના સાંધાની કે થાપાના ગોળાની આસપાસ થતી  ફ્રેક્ચરોની સરળ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓને કલાકોની ગણતરીઓમાચ પોતાના પગ ઉપર ઉભા કરીને ચાલતા  કરી આપવા એવી સર્જરીઓમાં ડો.ઉમંગ શિહોરા નિપુણ છે.

આર્થિક રીતે વંચિત લોકો માટે ખાસ કરીને સ્પાઈન ફાઉન્ડેશન દ્વારા “આર્ટ એક્ઝિબિશન”નું આયોજન

અમદાવાદ : સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડૉ. શેખર ભોજરાજ દ્વારા 1998 માં કરવામાં આવી હતી. તેમના ક્ષેત્રમાં અગ્રણી, ડૉ. ભોજરાજ દેશના…