૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read
4.1.1

અમદાવાદ :  ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કરેલા આક્ષેપોનું ખંડન કરી પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૪માં જ ભ્રષ્ટાચારના મગરમચ્છોને દેશની જનતાએ કેન્દ્ર સરકારમાંથી દૂર કર્યા છે તેમજ દેશના ૧૭ જેટલા રાજ્યોમાંથી કોંગ્રેસને દૂર કરી છે. સત્તા વગર તરફડતી કોંગ્રેસ જુઠ્ઠા આક્ષેપો કરી રહી છે જે દિવસે ગુજરાતની જનતા મીડિયા દ્વારા પોલીસ અધિકારી તથા સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલ વીડિયોગ્રાફી તથા પંચનામાની પ્રક્રિયા જોઈ કરી હતી તે જ દિવસે કોંગ્રેસના વિપક્ષના નેતા જુઠ્ઠા આક્ષેપો કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિમંત્રી આરસી ફળદુની સૂચનાથી ભાજપ સરકાર દ્વારા એક્શન લેવાતા હતા તે એક્શનને જુઠ્ઠા આક્ષેપમાં ફેરવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી હતી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇપણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહીં આવે.

કૃષિમંત્રી ફળદુ સાહેબે પણ તંત્રને કડકમં કડક પગલા લેવા સૂચના આપી છે જે લોકોએ ગેરરીતિ કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એક્શન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આગળ કાર્યવાહી ચાલી રહી છે. કેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ૧૦ લાખ ટન મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી છે.

સરકાર ખેડૂત હિતના એક પછી એક પગલાઓ લઇ રહી છે તથા કલ્યાણકારી યોજનાઓ આપી રહી છે તેની પ્રતિતિ ખેડૂતો કરી રહ્યા છે તેથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે ત્યારે બીજે ધ્યાન દોરવા સરકારની નિષ્પક્ષ અને કડક કાર્યવાહી સામે આક્ષેપો કરી ખોટા ભ્રમ ઉભો કરવાનો નિરર્થક પ્રાયસ કોંગ્રેસ કરી રહી છે. પંડ્યાએ જણાવ્યું હતું કે મિડિયામાં મગફળી બાબતનું જે ઓડિયો ક્લીપ ફરી રહી છે તે બાબતે મુખ્યમંત્રી, કૃષિમંત્રી તથા ભાજપા સરકાર સંપૂર્ણ ગંભીર અને કડક છે.

Share This Article