બજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા અંતિમ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રિય નાણાં પ્રધાનઅરૂણ જેટલી લોકલક્ષી બજેટ રજૂ કરવા માટેની તમામ તૈયારી કરી રહ્યા છે. કારણ કે વર્તમાન સરકારના આ છેલ્લા બજેટ તરીકે રહેનાર છે. મળેલી માહિતી મુજબ જેટલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની  ફાળવણીમાં વધારો કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોંચ કરવામાં આવેલી અપગ્રેડેડ પાક વીમા સ્કીમ હેઠળ ખેડુતોને ખુબ ઓછુ પ્રિમિયમ ચુકવવુ પડે છે. સાથે સાથે પાકના નુકસાન બદલ ફુલ ક્લેઇમ મળે છે. સુત્રોના કહેવા મુજબ આ સ્કીમ માટેની ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે.

આ ફ્લેગશીપ સ્કીમ માટે આગામી નાણાંકીય વર્ષ માટે બજેટમાં જંગી ફાળવણીની માંગ કરવામાં આવી ચુકી છે. જા કે મંત્રાલય સ્કીમના મહત્વને ધ્યાનમાં લઇને નાણાં મંત્રાલય પાસેથી વધારે ફંડ મેળવે તેવી શક્યતા દેખાઇ રહી છે. અગાઉ સરકારે આ સ્કીમ માટે ૯૦.૦૦૭૫ અબજ   રૂપિયા અથવા તો ૯૦૦૦.૭૫ કરોડ આપ્યા હતા. જા કે પુરક માંગ મારફતે ૧૭.૦૧ અબજ રૂપિયા અથવા તો ૧૭૦૧ કરોડ રૂપિયાની વધારાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. જાણકાર લોકો કહે છે કે વર્ષ ૨૦૧૬-૧૭ના પાક વર્ષ દરમિયાન ૫.૭૦ કરોડ ખેડુતો દ્વારા પાક વીમા પોલીસીની ખરીદી કરવામાં આવી હતી.

પ્રિમિયમ પર કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડુત પ્રિમિયમની રકમ અનાજ અને તેલીબિયા પાક માટે ૧.૩-૨ ટકા  રાખવામાં આવી છે. જ્યારે હોર્ટિકલ્ચર અને કપાસ પાક માટે પાંચ ટકા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સામેલ રહેલવા ખેડુતોની સંખ્યા ઘટી રહી છે ત્યારે આને લઇને કેટલાક પગલા લેવામાં આવી શકે છે. આ યોજનામાં ૧૭ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. સ્કીમ અંગે ઓછી માહિતીને પણ કારણરૂપ ગણવામાં આવે છે. જેથી તેની લોકપ્રિયતાને વધારી દેવા માટે પહેલ કરવામાં આવી શકે છે.

Share This Article