નવી દિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારમન રોજગારીને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ જાહેરાત કરી શકે છે. ખાસ કરીને મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા જાહેર કરવામાં આવી શકે છે. વધુ સંખ્યામાં મહિલા કર્મચારીઓને નોકરી આપનાર કંપનીઓ માટે કેટલીક રાહત આપવામાં આવી શકે છે. સંસદમાં પાંચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં મહિલા વર્કરો માટે લાગૂ પડતી સ્કીમ માટે યોગદાન યોજનામાં પણ રાહત આપવામાં આવી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલી મહિલા વર્કરો માટેની સ્કીમમાં રાહત મળી શકે છે.કેન્દ્રીય બજેટમાં આને લઇને પણ જાહેરાત થઇ શકે છે. બજેટને લઇને મહિલાઓ પણ અનેક અપેક્ષા રાખે છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more