અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : અર્જુન કપુર અને પરિણિતી ચોપડાની  ફરી એકવાર સાથે જોવા મળનાર છે. દિબાન્કર બેનર્જીની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં આ જાડી  નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવાના આરે પહોંચ્યુ છે.   આ ફિલ્મ હાલના કાર્યક્રમ મુજબ ૧૪મી જુનના દિવસે રજૂ કરાશે. આ જાડી છ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે નજરે પડનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ બન્ને આ વખત દિબાકર બેનર્જીની એક્શન-રોમાન્સ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. આ સંબંધમાં નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. પાંચ વર્ષ અગાઉ અર્જુન કપુરને ફિલ્મ ઇશ્કજાદેમાં તેની ભૂમિકા બદલ ભારે પ્રશંસા મળી હતી.

આ એક્શન ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મમાં પરિણિતી ચોપડાને પણ કેટલાક એવોર્ડ મળ્યા હતા. છેલ્લા છ મહિનાથી ફિલ્મ પાઇપલાઇનમાં હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિબાકરે અર્જુન કપુર સાથે વાતચીત કરી હતી. બન્નેની વચ્ચે ફિલ્મની પટકથાને લઇને વાતચીત થઇ હતી. અર્જુન કપુરને પ્રથમ વખતમાં જ ફિલ્મની પટકથા પસંદ પડી હતી. ત્યારબાદ તરત જ અર્જુન કપુર અને દિબાકર વચ્ચે ફિલ્મને લઇને તમામ વાત થઇ હતી.

હવે ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મમાં અર્જુન કપુર હરિયાણાના પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અર્જુન કપુર અને પરિણિતી વચ્ચે વર્ષોથી ખુબ સારી મિત્રતા પણ રહી છે. અર્જુન કપુર અને પરિણિતી હાલમાં નમસ્તે લંડન નામની ફિલ્મમાં પણ દેખાયા હતા. જા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. હવે ફરી એકવાર આ સુપરહિટ જાડી એકવખત ધુમ મચાવવા માટે તૈયાર છે.

Share This Article