બજાજ ફાયનાન્સ લિમિટેડ દ્વારા સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમ ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’નું આયોજન કરાયું

Rudra
By Rudra 3 Min Read

રાજકોટ: બજાજ ફાયનાન્સ લિમિટેડ (BFL)ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની(NBFC) અને બજાજ ફિનસર્વનો ભાગ છે. કંપની દ્વારા આજે રાજકોટમાં સાયબર ફ્રોડ અવરનેસ કાર્યક્રમ ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’નું આયોજન કર્યું હતું. જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકીઓ અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવામાં આવી હતી.

‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા 2024માં જારી કરવામાં આવેલા એનબીએફસી માટેના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઇડલાઇન્સ સાથે સુસંગત છે, જે ડિજિટલ ઇકોસિસ્ટમને દરેક માટે સુરક્ષિત બનાવવા તકેદારી, સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગિતા પર ભાર મૂકે છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્કેમર્સ દ્વારા કરવામાં આવતા સામાન્ય નાણાકીય ફ્રોડ્સ તરફ નાગરિકોનું ધ્યાન દોરવા પર કેન્દ્રિત છે, જેમાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ ગ્રૂપ્સ અને ફાયનાન્સિયલ કંપનીઓની નકલ કરતી વેબસાઇટ્સનો સમાવેશ થાય છે, જે ખોટી રીતે સંલગ્નતા દર્શાવે છે અને તેમના કર્મચારી હોવાન પણ નકલ કરે છે.

બજાજ ફાઇનાન્સના “નોકઆઉટ ડિજિટલ ફ્રોડ” જાગૃતિ પહેલ દરમિયાન રાજકોટ શહેરના સાયબર પોલીસના પીઆઈ જે.એમ. કૈલાએ નાગરિકોને “ક્લિક કરતા પહેલા વિચારો” કરવા વિનંતી કરી અને અજાણી લિંક્સ, કોલ્સ અને સંદેશાઓની ચકાસણી કરવા પર ભાર મૂક્યો.

“સાયબર છેતરપિંડી એક વધતો જતો સામાજિક ખતરો છે અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે વપરાશકર્તાઓએ સાવધ રહેવું જોઈએ – વ્યક્તિગત માહિતીની બેદરકારીપૂર્વક શેરિંગનો ઉપયોગ સ્કેમર્સ દ્વારા થઈ શકે છે. ‘ગોલ્ડન અવર’ ખૂબ જ મહત્વપૂર્ણ છે: જો પીડિત પહેલા એક કલાકમાં 1930 પર ફોન કરીને છેતરપિંડીની જાણ કરે છે, તો ખોવાયેલા પૈસા પાછા મેળવવાની 90% શક્યતા છે. યાદ રાખો – પ્રથમ 60 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.” તેમણે ઉમેર્યું.

બીએફએલના પ્રવક્તાએ કહ્યું કે, “અમારા ગ્રાહકોની નાણાકીય સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે સતત ઑનલાઇન અને ઑફલાઇન આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અમારા ગ્રાહકો માટે સલાહો જારી કરીએ છીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, તેમજ નાગરિકો સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા દરેકને સાયબર સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના સાયબર પોલીસના પીએસઆઈ વેગડ, અચલશરણ પટેલ, મનીષ ગાયકવાડ, પ્રસેન પટેલ, ઘનશ્યામ શિંગાળા સહિતના નિષ્ણાતો અને મહાનુભાવો ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને હરિવંદ્રા કોલેજના સ્ટાફ સભ્યો અને અન્ય ઉપસ્થિતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ સાયબર સમુદાયને વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે મૂલ્યવાન સલાહો આપે છે. આમાં OTP, PIN શેર કરવાથી દૂર રહેવું, શંકાસ્પદ ઇમેઇલ્સ, SMS, લિંક્સ, QR કોડ્સ પર ક્લિક કરવાથી દૂર રહેવું અને અજાણ સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય શહેરો અને નગરોમાં ઇન્ટરએક્ટિવ વર્કશોપ્સ, ડિજિટલ જાગૃતિ અભિયાન અને સમુદાય આઉટરીચ પ્રોગ્રામ્સની વિવિધ શ્રેણીનો સમાવેશ કરે છે.

Share This Article