અડધી રાતે સીએમ યોગી, બોલીવુડ સેલેબ્સ સહીત દેશની ટોપ હસ્તીઓના ટિ્‌વટર બ્લૂ ટિક ગાયબ થયાં

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટિ્‌વટરે ગુરુવારે તમામ લીગેસી વેરિફાઈડ અકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધા છે. હવે ટિ્‌વટર પર દેખાતા યૂઝર્સને જેમની પાસે વેરિફાઈડ બ્લૂ ચેકમાર્ક છે, તેમણે ટિ્‌વટર બ્લૂ સર્વિસ સબ્સક્રાઈબ કર્યું છે અને તેના માટે ચુકવણી કરી છે, જેનો ખર્ચો વેબ યુઝર્સ માટે ૮ ડોલર પ્રતિમાસ અને આઈઓએસ તથા એંડ્રોઈડ પર ઈન એપ યુઝર્સ માટે ૧૧ ડોલર પ્રતિમાસ છે. ટિ્‌વટરે લીગેસી વેરિફાઈડ બ્લૂ ટિક હટાવવાનો ર્નિણયના કારણે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ સહિત કેટલાય બી ટાઉન હસ્તીઓ, ક્રિકેટરો વિરાટ કોહલી અને રોહિત શર્મા તથા સીએમ યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા રાજનેતાઓએ પોતાનું વેરિફાઈડ બ્લૂ ટિક ખોઈ દીધું છે. તેમાં પહેલા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટર નોટેબલ કેટેગરી અંતર્ગત કોઈ પણ ચાર્જ વિના વેરિફાઈડ બ્લૂ ચેક માર્ક આપે છે.

એલોન મસ્ક દ્વારા કંપનીનું અધિગ્રહણ કર્યા બાદ ટિ્‌વટર બ્લૂ અથવા વ્યવસાય કેન્દ્રિત ટિ્‌વટર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનનો કોન્સેપ્ટ આવ્યો. જે અંતર્ગત કોઈ પણ બિઝનેસ એંટીટી અથવા ઈંડિવિઝ્‌યૂલ નિર્ધારિત ચાર્જની ચુકવણી કરીને પોતાના ટિ્‌વટર હૈંડલને વેરિફાઈડ કરાવી શકે છે. આ અગાઉની સ્થિતીમાં બ્લૂ ટિક પ્રસિદ્ધ વ્યક્તિઓને પ્રતિરુપણાથી બચવા અને ખોટી માહિતીથી નિવારણ તરીકે કામ કરતા હતા. આ અગાઉ માર્ચમાં ટિ્‌વટરે પોતાના આધિકારિત હૈંડલમાંથી પોસ્ટ કરી હતી, ૧ એપ્રિલને અમે પોતાની લીગેસી વેરિફાઈડ પ્રોગ્રામ બંધ કરવાનું શરુ કરશે અને લેગેસી વેરિફાઈડ ચેકમાર્કે હટાવશે. ટિ્‌વટર પર પોતાના બ્લૂ ચેકમાર્ક બનાવી રાખવા માટે, લોકો ટિ્‌વટર બ્લૂ માટે સાઈન અપ કરી શકે છે.

ટિ્‌વટરે પહેલી વાર ૨૦૦૯માં બ્લૂ ચેક માર્ક સિસ્ટમની શરુઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય યૂઝર્સને પોતાની ઓળખાણમાં મદદ મળી શકે છે, ખ્યાતનામ હસ્તીઓ, રાજનેતા, કંપનીઓ અને બ્રાન્ડ સમાચાર સંગઠન અને સાર્વજનિક હિતના અન્ય અકાઉન્ક વાસ્તવિક છે. અને નકલી અથવા પૈરોડી અકાઉન્ડ નથી. પણ નવા નિયમ અનુસાર, કોઈ પણ બ્લૂ ચેકમાર્ક મેળવી શકે છે. બસ તેમને ટિ્‌વટર બ્લૂ સર્વિસ સબ્સક્રાઈબ કરીને નિર્ધારિત ચાર્જની ચુકવણી કરવાની રહેશે. આવી રીતે પૈરોડી અકાઉન્ડ પણ વેરિફાઈડ બ્લૂ ચેકમાર્કવાળા થઈ ગયા છે.

Share This Article