પૃથ્વીનું તાપમાન સતત વધતાં માણસોનું કદ નાનું થતું જશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એડિનબર્ગ યુનિવર્સિટીના જીવાશ્મ વિજ્ઞાનના પ્રો સ્ટીવ બ્રૂસેટ અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે ધરતી પર ગ્રીન હાઉસ ગેસોનો પ્રભાવ પણ વધતો જઈ રહ્યો છે. પરિણામ એ છે કે ધરતીનું તાપમાન દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. તેની અસર માત્ર ધ્રુવીય બરફ પીગળવા અને સમુદ્રનું જળસ્તર વધવાથી સંબંધિત નથી પરંતુ જેમ-જેમ ધરતીનું તાપમાન વધશે તેમ-તેમ મનુષ્યનો આકાર પણ નાનો થતો જશે. આવું ગરમ જળવાયુના હિસાબથી ખુદને ઢાળવા માટે થશે. આ દરમિયાન મનુષ્યની સરેરાશ ઊંચાઈ લગભગ ૩.૫ ફુટ થવાની શક્યતા છે. મૂળે, એડિનબર્ગ યુનિવર્સિટીમાં આ સંબંધમાં રિસર્ચ થયું છે. યુનિવર્સિટીના જીવાશ્મ વિજ્ઞાનના પ્રોફેસર સ્ટીવ બ્રૂસેટનું માનવું છે કે જળવાયુ પરિવર્તનની સ્થિતિમાં જીવિત રહેવાના સારા અવસર માટે મનુષ્ય સંકોચાઈ જશે. તેઓએ ઘોડાઓની પ્રજાતિઓનું ઉદાહરણ આપતા કહ્યું કે ૫૦ કરોડ વર્ષ પહેલા પૈલિયોસીન યુગની તુલનામાં હાલના યુગમાં ઘણો ઘટાડો થયો છે.

પોતાના પુસ્તક ધ રાઇઝ એન્ડ રીગન ઓફ ધ મૈમલ્સમાં બ્રૂસેટે કહ્યું છે કે ગરમ ક્ષેત્રોમાં સ્તનધારી ઠંડા ક્ષેત્રોમાં સ્તનધારીઓની તુલનામાં નાના હોય છે. કારણ કે નાનો આકાર જીવોને ઠંડા રાખવામાં મદદ કરી શકે. બ્રૂસેટે હોમો ફ્લોરેસેંસિસનું ઉદાહરણ આપતા કહ્યું કે ઇન્ડોનેશિયન દ્વીપ ફ્લોર્સમાં લગભગ ૫૦ હજારથી એક લાખ વર્ષ પહેલા મનુષ્યોની સાઇઝ માત્ર ૩.૫ ફુટ જ હતી. આપણી પ્રજાતિ અન્ય જાનવરો માટે હાનિકારક રહી છે. તેઓએ કહ્યું કે જો તમે એક ગેંડા, હાથી, સિંહ, પ્લેટિપસ હોત, તો તમે કદાચ ઈચ્છતા કે મનુષ્યોને પસંદ ન કરતા. ૨૦૨૧ના એક અધ્યયનમાં સામે આવ્યું કે તાપમાન અને શરીરના આકારની વચ્ચે સંબંધ હોય છે. જોકે, તાપમાનનું મગજના આકાર પર કોઈ પ્રભાવ નથી પડતો. જોકે તાપમાનના ગરમ થવાથી સંસાધન અનુસાર મનુષ્ય કે અન્ય સ્તનધારી પણ નાના થઈ જશે.

Share This Article