નવીદિલ્હી : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઇને છેલ્લા ઘણા સમયથી આંતરિકરીતે ચર્ચા ચાલી રહી હતી પરંતુ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અટકળોનો અંત આણી દીધો હતો. કેજરીવાલે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આમા રસ દર્શાવી રહ્યા નથી. કેજરીવાલે કહ્યું હતું કે, હજુ સુધી કોઇપણ સહમતિ થઈ શકી નથી. કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધનનો ઇન્કાર કરી દીધો છે. અત્રે નોંધનીય છે કે, દિલ્હીમાં શરદ પવારના આવાસ ઉપર યોજાયેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પહોંચ્યા હતા જેને લઇને ચર્ચા ચાલી રહી હતી. આના જવાબમાં કહ્યું હતું કે, અમારા મનમાં દેશને લઇને ચિંતા છે. દેશની પરિસ્થિતિઓને અમે જાઈ રહ્યા છે. નોટબંધી જેવા ખોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. મોદી અને શાહની જાડીને પરાજિત કરવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ જેથી ગઠબંધનની વાત કરી રહ્યા છે.
મોટા સમાચાર : કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની...
Read more