લશ્કરે આપી કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિદ્યાલય ઉડાવવાની ધમકી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ ઉત્તરપ્રદેશના ઘણા સ્ટેશન, સાથે જ કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વમંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ ધમકી મળતાની સાથે જ ઉત્તરપ્રદેશ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. દરેક સ્ટેશન પર હાઇએલર્ટ જાહેર કરી દીધો છે. ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે પત્રમાં પોલીસે રાજ્યભરમાં ચેતવણી આપી દીધી છે. તે પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, એરિયા કમાન્ડર અબૂ શેખે સહારનપુર, હાપુડ, સાથે બીજા ઘણા સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપી છે.

dhamki lashkar 060618022203

યુ.પીના સ્ટેશનની સાથે કૃષ્ણ જન્મભૂમિ અને બનારસના કાશી વિશ્વમંદિરને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ દરેકને એલર્ટ રહેવાની ધમકી આપી દીધી છે. યુ.પી પોલીસના જણાવ્યા અનુસાર આ પત્ર ગયા મહિને ઉત્તર રેલ્વેને મળ્યો હતો. જે લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબૂ શેખે મોકલ્યો હતો. જેમાં 6 જૂનથી 10 જૂન વચ્ચે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.

પોલીસ આ પત્ર મળ્યા બાદ એલર્ટ થઇ ગઇ છે. શહેરમાં પોલીસને સાદા કપડામાં ડ્યૂટી પર જવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ જે રેલ્વે સ્ટેશનને ઉડાવવાની ધમકી મળી છે ત્યાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Share This Article