અંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીઓને બેલ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિતરીતે મારામારી કરવાના મામલામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલને મોટી રાહત થઇ ગઇ છે. તેમને આ કેસમાં જામીન મળી ગયા છે. કેજરીવાલની સાથે સાથે કોર્ટે મામલામાં આરોપી નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને એએપીના ૧૧ ધારાસભ્યોને પણ જામીન આપી દીધા છે. ગુરૂવારના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આરોપી તરીકે કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે હવે દસ્તાવેજાની ચકાસણી માટે આામી તારીખ સામી ડિસેમ્બર નક્કી કરી છે.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન બંને સવારમાં આશરે ૧૦ વાગે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેડિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ હાજર રહ્યા હતા. કોર્ટે દસ્તાવેજાની ચકાસણી માટે સાતમી ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. કોર્ટે ૧૮મી સપ્ટેમ્બરના દિવસે પોલીસ ચાર્જશીટમાં મુકવામાં આવેલા આરોપોની નોંધ લઇને તમામને સમન્સ જારી કર્યા હતા. ચાર્જશીટ મુજબ ચીફ સેક્રેટરી પર ૧૯મી ફેબ્રુઆરીના દિવસે રાત્રે મુખ્યપ્રધાનના આવાસ પર એ વખતે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે મુખ્યપ્રધાન કેજરીવાલ દ્વારા બોલાવવામાં આવ્યા બાદ અંશુ તેમના આવાસ પર પહોંચ્યા હતા.

૧૩૦૦ પાનાન ચાર્જશીટ આ કેસમાં દાખલ કરવામાં આવી હતી.દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ ભાજપ અને કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. મુખ્ય સચિવ અંશુ પ્રકાશે કહ્યું હતુ કે, મારામારી વચ્ચે તેમને ભાગી જવાની ફરજ પડી હતી. એએપીના ધારાસભ્ય પર મુખ્યમંત્રીના આવાસમાં કેજરીવાલની ઉપÂસ્થતિમાં પોતાની સાથે મારામારી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.કેજરીવાલને  મારામારીના કેસમાં હાલ પુરતી રાહત થઇ છે.

Share This Article