પંજાબમાં આઈબી અને રાજ્યની પોલીસ ઈન્ટેલિજન્સે અંજુની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી
નવીદિલ્હી : ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. અંજુ કેમ પાછી આવી છે, શું તે કાયમ માટે ભારત આવી છે કે પછી પાકિસ્તાન પાછી ફરશે? ભારત આવવાનો તેમનો હેતુ શું છે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ દરમિયાન પંજાબમાં આઈબી અને રાજ્યની પોલીસ ઈન્ટેલિજન્સે અંજુની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે ઘણા ખુલાસા કર્યા.. આ દરમિયાન અંજુએ જણાવ્યું કે તે ૨૧ જુલાઈના રોજ પાકિસ્તાન ગઈ હતી. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની નાગરિક નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા તેણે ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ અંગીકાર કર્યો હતો. તે પછી તેણે નસરુલ્લા સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા. જાે કે પૂછપરછ દરમિયાન અંજુએ જણાવ્યું કે હાલમાં તેની પાસે લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજ નથી.. IB અને પોલીસે અંજુની પાકિસ્તાની સંરક્ષણ કર્મચારીઓ સાથેના સંબંધો વિશે પૂછપરછ કરી, જેમાં તેણે કહ્યું કે તેનો કોઈ પાકિસ્તાની સૈન્ય સાથે કોઈ સંબંધ નથી અને ન તો તે સેનામાં કોઈને ઓળખે છે. નોંધનીય છે કે અંજુને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ પોલીસના મનમાં પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.. પોલીસે અંજુને પાકિસ્તાન પાછા જવા વિશે પણ પૂછ્યું. જેના જવાબમાં અંજુએ કહ્યું કે તે તેના પતિ અરવિંદ સાથે છૂટાછેડા લેવા ભારત આવી છે. તેણીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેણી તેના બંને બાળકોને સાથે લેવાનો પ્રયાસ કરશે જેઓ આ દિવસોમાં તેમના પિતા સાથે રહે છે. અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી.. તમને જણાવી દઈએ કે અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજુ અને તેનો પતિ બંને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ દરમિયાન અંજુની મુલાકાત પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાહ નામના વ્યક્તિ સાથે ફેસબુક દ્વારા થઈ હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા. જયપુર આવવાના બહાને અંજુ પતિ સાથે પાકિસ્તાન ગઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ આ મામલો હેડલાઇન્સમાં આવ્યો હતો.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more