કેન્દ્રિય મંત્રી અનંત કુમારનુ નિધન થયુ : આઘાતનુ મોજુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  લાંબા સમયથી બિમાર ચાલી રહેલા કેન્દ્રિય પ્રધાન અનંત કુમારનુ આજે વહેલી પરોઢે આશરે બે વાગે અવસાન થયુ હતુ. તેમના અવસાનની સાથે જ ભાજપને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે તેમના લાખો સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. કુમાર કેન્સરના રોગથી ગ્રસ્ત હતા. સારવાર પણ કરાવી રહ્યા હતા. ૫૯ વર્ષીય અનંત કુમારની પહેલા લંડન અને ત્યારબાદ ન્યુયોર્કમાં પણ સારવાર થઇ હતી. ૨૦મી ઓક્ટોબરના દિવસે તેમને બેંગલોર લાવીને પ્રાઇવેટ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને બેંગલોરના નેશનલ કોલેજમાં રાખવામાં આવ્યા બાદ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે તેમના પત્નિએ માહિતી આપી હતી કે અનંત હવે ઠીક છે. પરંતુ તેમની તબિયત એકાએક બગડી ગઇ હતી. એ વખતે કેન્સરની સાથે સાથે ઇન્ફેક્શન હોવાની બાબત સપાટી પર આવી હતી. તબિયત ખરાબ હોવાના કારણે અનંત છેલ્લા કેટલાક સમયથી કૃત્રિ શ્વાસ લેવાની મશીન એટલે કે વેન્ટીલેટર પર હતા. તેમને આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

૨૨મી જુલાઇ ૧૯૫૯ના દિવસે જન્મેલા અનંત કુમાર ૧૯૯૬થી બેંગલોર સાઉથ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે હતા. મોદી સરકારમાં તેઓ રસાયણ અને ખાતર પ્રધાન તરીકે હતા સાથે સાથે સંસદીય બાબતોના પ્રધાન તરીકે પણ હતા. શરૂઆતની કેરિયરમાં અનંત કુમાર સંઘ સાથે જાડાયેલા હતા. ત્યારબાદ વિદ્યાર્થી રાજનીતિમાં આવી ગયા ગયા હતા. ભાજપ સાથે લાંબા સમયથી જાડાયેલા હતા. બેંગલોર તેમના દિલોદિમાગ પર રહેતા હમેંશા બેંગલોરની સેવામાં રહેતા હતા. કર્ણાટકના લોકોને ખુબ મોટો ફટકો પડ્યો છે. તેમના અવસાનથી આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે.

Share This Article