અમદાવાદ : ૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવવાની છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવનકારી અવસર માટે ગુજરાતના કરોડો ભક્તોમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે , ત્યારે હવે ગુજરાતમાં બનેલા વિશેષ નગારા અને અજયબાણ પણ રામ મંદિરની શોભા વધારવા જઇ રહ્યા છે.રામ મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવીને અયોધ્યા મોકલવામાં આવી છે. અંબાજીમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા ૧૧ કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવી અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે. જે અજયબાણને ગબ્બર ગઢ ઉપર લઇ જવાયું હતું અને અજયબાણની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. મહત્વનું છે કે અંબાજી સાથે ભગવાન શ્રીરામનો જૂનો સંબંધ છે. કેમ કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામને શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા કહ્યું હતું અને માતાજીએ પ્રસન્ન થઇ રાવણનો વધ કરવા માટે અજયબાણ આપ્યું હતું, આ એ જ અજયબાણની પ્રતિકૃટ્ઠિત છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more