ટેન્શનની સાથે સાથે…….

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે વિશ્વના દેશો ભારતની સાથે દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને અમેરિકાએ ભારતને ત્રાસવાદી કેમ્પો પર ભારતીય સેના દ્વારા ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે સાથ આપીને તેની સાથે ઉભા હોવાની સાફ વાત કરી છે. સાવચેતીની સાથે સાથે નીચે મુજબ છે

  • ભારતે હવાઈ હુમલા પોકમાં કર્યાના એક દિવસ બાદ પાકિસ્તાની વિમાનોએ ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયાસો કર્યા જેમાં એક પાકિસ્તાની વિમાન ફૂંકી મારવામાં આવ્યું
  • બીજા દિવસે સંઘર્ષવેળા પાકિસ્તાનના સકંજામાં આવેલા ભારતીય પાયલોટને સુરક્ષિતરીતે મુક્ત કરવા ભારત દ્વારા પાકિસ્તાનને ચેતવણી અપાઈ
  • પાકિસ્તાનના વિમાનો સવારમાં ઘુસી ગયા બાદ ખદેડી મુકવામાં આવ્યા
  • પાકિસ્તાની સરહદ નજીક ઇન્ડસ્ટ્રી અને એરપોર્ટને સાવધાન કરાયા
  • પાકિસ્તાની સેનાની કાર્યવાહી બાદ ભારતના ઘણા વિમાની મથકોને કલાકો સુધી બંધ કરાયા બાદ બપોર બાદ ફરી શરૂ કરાયા
  • સોપિયનમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારાયા
  • સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને આર્મી ચીફ બિપીન રાવત, હવાઈ દળના વડા ધનોવા અને નેવી ચીફ સુનિલ લાંબા સાથે બેઠક યોજી
  • બડગામમાં હેલિકોપ્ટર તુટી પડતા પાંચના મોત
  • ઉચ્ચ સ્તરીય બેઠકોના દોર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ ગૃહમંત્રાલય પહોંચ્યા
  • રાજનાથસિંહે તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી
  • દેશમાં ઘુસણખોરી કરનાર વિમાનોને ફુંકી મારવા માટેના આદેશ કરાયા
  • હવાઈ દળના તમામ એરબેઝ એલર્ટ રાખવામાં આવ્યા
  • વાયુ સેનાને કોઇપણ સમયે ટેક ઓફ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું
  • હવાઇ હુમલાના એક દિવસ બાદ ભારત દ્વારા સાવચેતીના તમામ પગલા યથાવત રાખ્યા
  • પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા નજીક પોતાના વિસ્તારમાં ટેન્કો ગોઠવી
  • ભારતે સરહદ પર પાકિસ્તાનની ગતિવિધી પર તમામ નજર કેન્દ્રિત કરી છે
  • સતત બીજા દિવસે બેઠકોનો દોર જારી રહ્યો
  • ગઇકાલે પોકમાં હુમલાનો ગાળો ૨૧ મિનિટ સુધી ચાલ્યો હોવાનો દાવો કરાયો
  • ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કર્યા હતા
  • પાકિસ્તાનના પોકમાં ચાલી રહેલા તમામ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કર્યા હતા
  • ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા.
  • ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જારદાર હુમલો કરવામાં આવ્યો હતો
  • ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા
  • અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી
  • હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી
  • પુલવામા હુમલો કરવામાં આવ્યાના ૧૨ દિવસ બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા
  • હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ ભારતીય વિદેશ સચિવ ગોખલેએ પત્રકાર પરિષદ યોજીને હુમલા અંગે માહિતી આપી
Share This Article