એર ઈન્ડિયા પ્લેન ક્રેશ : વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : તા. ૧૨ જૂન ને ગુરુવારના રોજ, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે.

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોની રુબરુ મુલાકાત લીધી છે. વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન શોકમગ્ન પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ગતરોજ અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. વિજય રુપાણી અને વડાપ્રધાન વચ્ચે રાજનૈતિક ઉપરાંત મિત્રતાનો પણ સંબંધ હતો. વડાપ્રધાન અને વિજય રુપાણીએ ઘણા વર્ષો સાથે ગાળ્યા હતા. તેથી વડાપ્રધાન મોદીએ વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને તેમના પરિવારજનોને રુબરુ મળીને સાંત્વના પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે સંબંધ રહ્યો હતો. અનેક પડકારોમાં અમે ખભાથી ખભો મિલાવીને કામ કર્યુ હતું. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા. મેયરથી ઝ્રસ્ સુધીની જવાબદારી વિજયભાઈએ યોગ્ય રીતે નિભાવી હતી. વડાપ્રધાને વિજય રુપાણીના પરિવારને સાંત્વના આપી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article