અમદાવાદ/આણંદ : ૧૨ જૂન, ગુરુવારના દિવસે એર ઈન્ડિયાની બોઈંગ ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી છ-૧૭૧ ફ્લાઈટ ગતરોજ અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગમખ્વાર અક્સ્માતમાં મૃત્યુ પામેલા પેસેન્જર્સમાંથી આણંદ જિલ્લાના સૌથી વધુ ૩૩ના મૃત્યુ થયા હતા. જેમાંથી આણંદના સાંસદ મિતેષ પટેલના ગામ વાસદના ૩ લોકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત મુદ્દે સાંસદ મિતેષ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને કમનસીબ ગણાવી અને મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે.
૧૨મી જૂન, ગુરુવારનો દિવસ અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં કાળા ગુરુવાર તરીકે ઓળખાશે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત આણંદ જિલ્લાના સૌથી વધુ ૩૩ લોકો માર્યા ગયા હતા. આ મૃતકો પૈકી ૩ લોકો સાંસદ મિતેષ પટેલના ગામ વાસદના હોવાનું સામે આવ્યું છે. સાંસદ મિતેષ પટેલે આ ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે.
આ વિમાન ક્રેશમાં સાંસદ મિતેષ પટેલ વાસદ ગામના છે. ગતરોજ છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ ઁઙ્મટ્ઠહી ઝ્રટ્ઠિજર માં આણંદ જિલ્લાના સૌથી વધુ પેસેન્જર્સ માર્યા ગયા હતા. તેમાંથી વાસદ ગામના કુલ ૩ લોકો માર્યા ગયા હતા. જેમાં વાસદના રહેવાસી રજનીકાંત પટેલ અને તેમના જ પરિવારના અન્ય ૨ લોકોનું આ વિમાન દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું હતું. આ સમાચારથી આણંદના સ્ઁ સ્ૈંીજર ઁટ્ઠંીઙ્મ વ્યથિત થઈ ગયા છે. તેમણે આ ગમખ્વાર અકસ્માત મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના કુલ ૩૩ લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પણ મૃત્યુ પામ્યા હતા. મૃતકોના પરિવારને હું સંવેદના પાઠવું છું. મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી તમામ મદદ કરવામાં આવશે. આ માટે અમે ૧ ટીમ પણ બનાવી છે. ડીએનએ ટેસ્ટિંગ અને ડેડબોડી સુપરત કરવામાં જે પણ મદદ થઈ શકશે તે તમામ મદદ અમે કરીશું.