બગોદરા હાઈવે પર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

      બગોદરા પાસેના મીઠાપુર નજીક હાઈવે પર એક અત્યંત કરુણ અકસ્માત થવા પામ્યો હતો જેમાં 11 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ પરિવારના સભ્યો ચોટીલા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના થવા પામી હતી. આ અત્યંત કરુણ માર્ગ દુર્ઘટનામાં પીકઅપ વાનના ડ્રાઈવર સહિત કપડવંજ તાલુકાના સુંણદા ગામનાં ૧૧ લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા.


       પુજ્ય મોરારિબાપુ તરફથી આ ઘટનામાં માર્યા ગયેલાઓને પ્રત્યેકના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા એક લાખ પાંસઠ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે જે નડિયાદ અને કપડવંજ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. પુજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Share This Article