ભારતે આજે ફરી એક વખત ઓરિસ્સાના અબ્દુલ કલામ આઈલેન્ડની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી સવારે 9 વાગ્યેને 48 મિનિટે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણ સફળ હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓએ કર્યો છે. ભારતના ભાગમાં અગ્નિ-1 મિસાઈલ પહેલેથી જ છે. જેનું સંચાલન સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અગ્નિ-2ની પ્રહાર ક્ષમતા 2000 કિલોમટીર જેટલી છે. અગ્નિ 3 મિસાઈલની મારક ક્ષમતા 3500 કિલોમીટરની છે અને તે ન્યુક્લિયર બોમ્બનું વહન કરવા માટે સક્ષમ છે. જયારે અગ્નિ- 5 મિસાઈલની પ્રહાર ક્ષમતા ૫૦૦૦ કિલોમીટરની છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more