જાપાનમાં પ્રચંડ તોફાન બાદ જનજીવન ફરીવાર સામાન્ય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટોકિયો: જાપાનમાં વિનાશકારી જેબી તોફાન બાદ હવે જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી બાજુ પશ્ચિમી જાપાનમાં એરપોર્ટ  ખાતે Âસ્થતી સુધારી દેવામાં આવી છે. કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. જાપાનમાં કુલ ૧૧ લોકોના મોત થઇ ચુક્યા છે. જેબી તોફાનના કારણે ૧૧ લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જૈ પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ૨૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ મોટી સંખ્યામાં વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા છે.

તોફાન કારણે ૭૦૦ ફ્લાઇટોને રદ કરવામાં આવી હતી. ૫૮ હજારથી પણ વધારે લોકો એરપોર્ટ પર અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદ અને પ્રચંડ તોફાનના કારણે પશ્ચિમી જાપાનમાં ૭૦૦ સ્થાનિક અને વિદેશી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી.  કંસાઇ વિમાનીમથકમાં પાણી ભરાઇ ગયુ હતુ. જા કે હવે અહીં સ્થિતીમાં સુધારો થયો છે. જેથી વિમાની સેવા આંશિક રીતે ફરી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેનો, હાઇ સ્પીડ ટ્રેનો બંધ કરવામાં આવ્યા બાદ હવે સ્થિતી સુધરી રહી છે. જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.  ઓસાકા-હિરોસીમા  માર્ગ પર દોડતી ટ્રેનોને અનિશ્ચિતકાળ સુધી મોકુફ કરીદેવામાં આવ્યા બાદ હવે Âસ્થતીને સામાન્ય કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

ટોકિયો અને ઓકાયામા વચ્ચે દોડતી બુલેટ ટ્રેનને પણ બંધ કરવામાં આવી હતી.  જાપાનના વડાપ્રધાન શિન્જા આબે દ્વારા દરિયા કાઠાના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરી ચુક્યા છે. જાપાનમાં ૧૯૯૩માં વિનાશકારી તોફાનમાં ૪૮ લોકોના મોત થયા હતા અને જુલાઇ ૨૦૧૮માં પુરના કારણે ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. સેન્ટ્રલ અને વેસ્ટર્ન જાપાનમાં ભારે વરસાદ અને ભેખડો ધસી પડવા માટેની ચેતવણીજારી કરવામાં આવી છે. છેલ્લા ૨૫ વર્ષના સૌથી વિનાશકારી તોફાનના કારણે દેશને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસાકા, સિગા જેવા વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થયું છે.

Share This Article