અમદાવાદમાં ચાર શંકમંદો ભાગ્યા છે ત્યાર બાદ તે પોલીસ જ નીકળી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદમાં આગામી ૧ જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે. જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે તે ચકાસવા માટે શહેરને લોક કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસ કર્મીઓ જ નીકળ્યા હતા.કોરોનાની ત્રણેય લહેર બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું છે, અને પણ યુવાઓના નાઇટ આઉટિંગથી શહેર સતત ધમધમતું રહે છે. પરંતુ શહેરમાં અચાનક જ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.

આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે આમ કેમ થઈ રહ્યું છે. કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદો ભાગ્યા છે, તાત્કાલિક તેમને પકડવામાં આવે, એટલે શહેરમાં ગણતરીની મિનિટ્‌સમાં જ નાકાબંધી કરી દેવામાં આવી હતી. તેમજ બેરેકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ? શહેરમાં કોઈ અમંગળ ઘટનાના એંધાણ તો નથીને? આ દરમિયાન પોલીસ દ્વારા એક એક વાહનને ચેક કરીને જેવા દેવામાં આવી રહ્યા હતા. તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી.

જો કે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા. તેમજ તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. અંતે અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી. આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે તે જાણવા મળે છે.

Share This Article