‘આપ’પાર્ટી ભાજપના ઈશારે કોંગ્રેસને નુકસાન પહોંચાડવા ચૂંટણી લડવા આવી : લલીત વસોયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે કોંગ્રેસના નેતા લલીત વસોયાએ પહેલા ઇવીએમને કારણે કોંગ્રેસનો પરાજય થયો છે તેમ જણાવ્યું હતું અને બાદમાં એમ જણાવ્યું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કારણે પરાજય થયું છે તેમણે કહ્યું કે મારી બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કર્યું છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી.

આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે. આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન ૬૩.૩૧ ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન ૬૫.૩૦ ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન ૬૪.૩૩ ટકા થયું છે. ૨૦૦૭ બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, ૨૦૦૭માં ૫૯.૭૭%, ૨૦૧૨માં ૭૨.૦૨% અને ૨૦૧૭માં ૬૯.૦૧% મતદાન નોંધાયું હતુ.

Share This Article