આમિર ખાનની ફિલ્મ ૩ ઇડિઅટ્‌સ બાદ લદાખના પ્રવાસનમાં થયો વધારો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સુપરસ્ટાર આમિર ખાન ની સુપરહિટ ફિલ્મ ૩ ઇડિઅટ્‌સ એ બોક્સ આૅફિસની સ્થિતિ બદલી નાખી છે, જે પેરક્ષકો ને હજુ પણ યાદ છે.ફક્ત આ જ નહીં, પણ ફિલ્મ બાદ લદ્દાખના પ્રવાસનમા વધારો થયો હતો.

ફિલ્મ મા લદ્દાખના સુંદર લોકેશન જોયા બાદ લોકો માટે લદાખ એક પ્રવાસન બની ગયું છે જ્યા સૌ જવા માંગે છે, ફિલ્મ ના સક્સેસ ના કારણે લદાખની લોકપ્રિયતા વધી ગઈ છે અને તેના પ્રવાસન ઉદ્યોગમાં વધારો થયો છે.

3 idiots2

૩ ઇડિઅટ્‌સની રિલીઝ પહેલા, લદ્દાખ પ્રવાસીઓમાં એક અજાણ સ્થળ હતું, પરંતુ હવે તે પ્રવાસીઓ વચ્ચે એક ફેમસ સ્થળ બની ગયું છે.

આમિર ખાન ટૂંક સમયમાં જ તેમની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢા માટે શૂટિંગ શરૂ કરશે, જે તેમના જન્મદિવસની જાહેરાત કરવામાં આવી હતી.

Share This Article