ઇન્ડિયા ગઠબંધનનાં ર્નિણયથી કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી
અમદાવાદ : આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની સીટની ફાળવણી પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સહમતી થઇ છે. બેઠકની ફાળવણીઓમાં ભરૂચ બેઠક ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે. કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જાેવા મળી રહી છે. આ બેઠક પર અહેમદ પટેલના પરિવારના સમર્થકો ર્નિણયથી હતાશ છે. કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની મજબૂત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે ંદૃ૯ સાથે વાતચીત કરી હતી. મુમતાઝે ગઠબંધનના ર્નિણય સામે કહ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે ર્નિણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપ ને સીટની ફાળવણીથી નારાજ હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more