સ્વર્ગસ્થ માતૃશ્રીની યાદમાં રક્તદાન, પુસ્તકદાન, નેત્રદાન અને અંગદાન જાગૃતિ અંગે પ્રેરણા પૂરી પાડતી અનોખી પ્રાર્થનાસભા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદ : સામાન્ય રીતે પ્રાર્થનાસભામાં લોકો પોતાના સ્વજનની યાદમાં અને તેમની સાથે વિતાવેલા સંસ્મરણો વાગોળતા હોય છે. ત્યારે આ દિશામાં એક પગલું આગળ વધીને હિતેન બંસીભાઈ શાહે પોતાના સ્વર્ગસ્થ માતૃશ્રી રંજનબેન શાહની પ્રાર્થનાસભામાં બહુવિધ પ્રકલ્યો થકી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

1

હિતેન બંસીભાઈ શાહે પોતાના સ્વર્ગસ્થ માતૃશ્રી રંજનબેનના જીવનમંત્ર ‘માનવસેવા એ જ પ્રભુ સેવા’થી પ્રેરણા લઈને પ્રાર્થના સભામાં રક્તદાન શિબિર, દેહદાન જાગૃતિ શિબિર, નેત્રદાન જાગૃતિ શિબિર, અંગદાન જાગૃતિ શિબિર યોજી સમાજિક રીતે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, લોકોમાં વાંચન પ્રત્યે રૂચિ કેળવાય તે માટે ધાર્મિક, સામાજિક અને પ્રેરણાત્મક પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. એક વિશેષ પહેલ રૂપે પુષ્પના બદલે ચોકલેટ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, આ ચોકલેટને સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં વહેંચવામાં આવશે.

3

હિતેન બંસીભાઈ શાહ, નીતા હિતેન શાહ, ડૉ. ખુશી હિતેન શાહ, બેલાબેન જયેન્દ્રકુમાર શાહ ,જયેન્દ્ર સી. શાહ, બિરવા રાકેશભાઈ મેહતા અને રાકેશભાઈ મેહતા, પોતાના સ્વજનની યાદમાં યોજેલ પ્રાર્થનાસભા ઉપરોક્ત પ્રકલ્પોમાં લોકભાગીદારી થકી સાર્થક રીતે પ્રેરણાત્મક સાબિત થઈ હતી.

Share This Article