રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના મુજબ ભોજન બનાવી શાળામાં જ બાળકોને પીરસવામાં આવતું હોય છે. જેના માટે સરકાર દ્વારા અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે મહેસાણામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ સામે આવી છે. વિજાપુરના ૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી હોવાનું સામે આવ્યુ છે. મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરના આ ૪ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ ૧ હજાર ૯૦ કિલોની ઘટ મળી આવી છે. મામલતદારની ટીમે કરેલી તપાસમાં આ બાબત સામે આવતા નોટિસ આપવામાં આવી છે. જે પછી સંચાલક કામિની પટેલ અને અક્ષય પટેલને નોટિસ આપવામાં આવી છે.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more