અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં દુર્ગા પૂજા ભવ્ય આયોજન કરાયું

Rudra
By Rudra 3 Min Read

Ahmedabad: પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં જાહેર દુર્ગા પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટના જનરલ મેનેજર એસ.ડી. બર્મન તેમજ સમિતિના હોદ્દેદારો દ્વારા 26 સપ્ટેમ્બરના સાંજના 9 વાગ્યે દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનું સમાપન 2 ઓક્ટોબરે થશે. દરરોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં ભાગ લેવા આવે છે.

આ અંગે જાહેર દુર્ગા પૂજા કમિટીના સંરક્ષક સુબ્રતા સરકારએ જણાવ્યું કે દુર્ગા પૂજાની પ્રતિમા બનાવવા ખાસ કરીને પ્રતિમા કલાકાર કોલકાતાથી બોલાવવામાં આવે છે. પ્રતિમા બનાવવાનું કામ લગભગ 3 મહિના સુધી ચાલે છે. સાથે જ પુજારી પણ દર વર્ષે કોલકાતાથી આવે છે, જે વિધિ-વિધાનપૂર્વક દરરોજ મા દુર્ગાની પૂજા કરે છે. કમિટીના અધ્યક્ષ તરુએ ધૌર્યાના જણાવ્યા અનુસાર એરપોર્ટ કોલોનીમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે અને અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ મા દુર્ગાના દર્શન માટે આવે છે.

આ મહોત્સવમાં એરપોર્ટના પૂર્વ તથા વર્તમાન અધિકારી, કર્મચારી, એરપોર્ટ સ્કૂલના શિક્ષક, સ્ટાફ, વાલીઓ શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવે છે. સપ્તમી, અષ્ટમી તથા નવમીના દિવસે તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ દરરોજ અલગ-અલગ પ્રકારના ગીત-સંગીત કાર્યક્રમો, કવિ સંમેલન, જાદુના શો વગેરેનું આયોજન કરવામાં આવે છે. દુર્ગા પૂજાને સફળ બનાવવા માટે સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ એ.કે. પંડિત, અનુપ દાસ, જોઇન્ટ સેક્રેટરી છબિનાથ યાદવ, કિરણ પ્રમાણિક, સાંસ્કૃતિક મંત્રી અરવિંદ મૌર્ય સહિતના હોદ્દેદારો દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સપ્તમીના દિવસે અમદાવાદ એરપોર્ટના જનરલ મેનેજર એસ.ડી. બર્મન, બાપુનગરના વિધાનસભ્ય દિનેશસિંહ કુશવાહ, પરપ્રાંતીય સમાજના સંયોજક રામપ્રતાપસિંહ ચૌહાણ, કુશવાહ મૌર્ય ક્ષત્રિય સમાજ ટ્રસ્ટના સહ-સ્થાપક જે.પી. કુશવાહ, અખંડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હરીરામ યાદવ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહી માતાનું આશીર્વાદ પ્રાપ્ત કર્યું. સાથે જ સોમવારે આરતી બાદ રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

હિન્દી સાહિત્ય અકાદમી (ગાંધીનગર), દિ અખિલ ભારતીય સમાજ સેવા ટ્રસ્ટ (અહમદાબાદ) તથા જાહેર દુર્ગા પૂજા કમિટી (અમદાવાદ એરપોર્ટ)ના સંયુક્ત તત્વાધાનમાં રાષ્ટ્રીય હિન્દી કવિ સંમેલનનું આયોજન થયું. આ કવિ સંમેલનમાં તેજપાલ સેન (બડનગર, મધ્યપ્રદેશ), કમલ રાઠોડ (શિવપુર, મધ્યપ્રદેશ), ડૉ. સંગીત પાલ (ગાંધીધામ, કચ્છ) બાદ અહમદાબાદના કવિ ગિરીશ ઠાકુર, ડૉ. હરિવંશ મિશ્રા, હરિપ્રકાશ કબીરપંથી, શબ્બીર હાશમીએ પોતાની રચનાઓથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ કવિ સંમેલનનું સંચાલન હાસ્ય કવિ મન કુમારે કર્યું.

Share This Article