મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મોરબીના મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. પાનેલી રોડ પર મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ૭ વર્ષની બાળકીનું મોત થયું હતું. અસ્મીતાબેન પીતાંબરભાઈ ઝાલા નામની સાત વર્ષની બાળકીનું પાણીના ખાડામાં પડી જવાથી મોત થતા પોલીસ દોડતી થઇ હતી.ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમે કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે બાળકીની શોધખોળ હાથ ધરતા અંતે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more