સોનાની શુદ્ધતા હંમેશા 18, 22 અને 24 કેરેટમાં જ કેમ માપવામાં આવે છે? મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સોનાને સમૃદ્ધિ સાથે જોવામાં આવતુ રહ્યું છે. લગ્ન, તહેવારો અને ધાર્મિક વિધિઓમાં સોનાના દાગીનાની ચમક દરેક પ્રસંગને ખાસ બનાવે છે. સોનું માત્ર ઘરેણાંના રૂપમાં જ નહીં પણ રોકાણ તરીકે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે સોનાની શુદ્ધતાની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર 18, 22 અથવા 24 કેરેટ જેવા શબ્દો સાંભળીએ છીએ. પણ આ કેરેટ શું છે અને તે આ ધોરણો સુધી કેમ મર્યાદિત છે? કેરેટ એ સોનાની શુદ્ધતા માપવાનું એકમ છે. 24 કેરેટ સોનું 100% શુદ્ધ છે એટલે કે તેમાં અન્ય કોઈ ધાતુ ભેળવવામાં આવતી નથી.

શુદ્ધ સોનું ખૂબ જ નરમ હોય છે, જેના કારણે તેને તાંબુ, ચાંદી અથવા જસત જેવી ધાતુઓ સાથે ભેળવીને ઘરેણાં માટે યોગ્ય બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે બજારમાં 18 કેરેટ (75% શુદ્ધ) અને 22 કેરેટ (91.67% શુદ્ધ) જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. 22 કેરેટ સોનામાં 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ અન્ય ધાતુ છે. એટલે કે લગભગ 92 ટકા શુદ્ધ. 18 કેરેટમાં 18 ભાગ શુદ્ધ સોનું હોય છે, એટલે કે, 75 ટકા શુદ્ધ. તે વધુ મજબૂત છે. તેથી તેનો ઉપયોગ ફેશનેબલ ડિઝાઇન કરેલા ઘરેણાંમાં થાય છે. 24 કેરેટ ફક્ત સિક્કાઓ માટે સારું છે, તેમાંથી ઘરેણાં બનાવી શકાતા નથી.

પરંતુ સવાલ એ છે કે 19, 21 અથવા 25 કેરેટ સોનું કેમ બનાવવામાં આવતું નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે ભારતમાં BIS (ભારતીય માનક બ્યુરો) ફક્ત 14, 18, 22 અને 24 કેરેટ સ્વીકારે છે. 14, 18 અને 22 કેરેટના સોનાના દાગીનામાં હોલમાર્કિંગની પરવાનગી છે. હોલમાર્ક એ BIS દ્વારા જાહેર કરાયેલ ગુણવત્તા પ્રમાણપત્ર છે જે ચોક્કસ દાગીનામાં સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે.

TAGGED:
Share This Article